Linkedinનું નવું રિસર્ચ, વર્ષ 2023માં 80 ટકા ભારતીય જોબ ચેન્જ કરવાની ફિરાકમાં

Linkedin ઇન્ડિયાના એક રિસર્ચ અનુસાર, દર પાંચમાંથી ચાર કે લગભગ 8 ટકા ભારતીય પ્રોફેશનલ્સ વર્ષ 2023માં પોતાની હાલની નોકરી ચેન્જ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આવું એટલા માટે થઇ રહ્યું છે કે, કેટલીક સારી ઇન્ડસ્ટ્રીઝની હાયરિંગ એક્ટિવિટીઝમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે સિવાય કેટલાક પ્રોફેશનલ્સ સારું વર્ક લાઇફ બેલેન્સ અને નાણાંકીય સુરક્ષા આપનારી કંપનીઓમાં નોકરીની તલાશ કરી રહ્યા છે. Linkedinએ પોતાના રિસર્ચમાં એ પણ કહ્યું છે કે, જોબ બદલવાનું આ પ્લાનિંગ વધારેપડતા જેન ઝેડ કેટેગરીના લોકો કરી રહ્યા છે. જેન ઝેડ કેટેગરીમાં વર્ષ 1997થી લઇને 2012ની વચ્ચે પૈદા થનારા લોકોને રાખવામાં આવે છે.

આ વિશે કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ત્રણ ચતુર્થાંશ એટલે કે, 78 ટકા લોકોએ કહ્યું છે કે, જો તેમણે પોતાની નોકરી છોડવી પડે છે તો બીજી જોબમાં એપ્લાઇ કરવા માટે વધારે કોન્ફિડન્ટ અનુભવશે. Linkedinનું આ રિસર્ચ સેન્સસવાઇડ સાથે કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે, 18થી 24 વર્ષના 88 ટકા લોકો પોતાની હાલની નોકરીને સ્વિચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 40થી 54 વર્ષની ઉંમરના કર્મચારીઓ માટે આ આંકડો 64 ટકાનો છે. જ્યારે, 32 ટકા એટલે કે, દર 3માંથી એક વ્યક્તિએ એ માન્યું કે, તેઓ પોતાની ક્ષમતાઓના આધાર પર સારી નોકરી હાંસલ કરી શકે છે.

Linkedinના વર્કફોર્સ કોન્ફિડન્સ ઇન્ડેક્સ અનુસાર, પ્રોફેશનલ્સને ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પોતાના માટે એક સુરક્ષિત કરિયર વિકલ્પની તલાશમાં જોઇ શકાય છે. ભારતમાં અડધાથી પણ વધારે લોકો એટલે કે, 54 ટકા લોકો પ્રોફેશનલ્સ લોકોના સંપર્ક અને વધારેમાં વધારે પ્રોફેશનલ એક્ટિવિટીઝમાં ભાગ લઇને પોતાનું નેટવર્ક વધારવામાં લાગ્યા છે. Linkedinના આંકડાથી એ પણ ખબર પડે છે કે, જીવનની સતત વધતી નાણાંકિય સુરક્ષાની આવશ્યકતા એ પ્રમુખ કારકોમાંથી છે કે જે શ્રમિકોને નવી નોકરીઓની તલાશ કરવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે. ત્રણમાંથી દરેક વ્યક્તિ આવી નોકરીમાં જવા માટે ઇચ્છુક છે કે જે, સારું વર્ક લાઇફ પ્રપોર્શન પ્રદાન કરે છે.

ઉપર જણાવેલ આંકડા 18 વર્ષથી વધારેની આયુ કે, 2000થી વધારે પ્રોફેશનલ્સની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. આ રિપોર્ટ એવા સમયમે આવ્યો છે કે, જ્યારે વૈશ્વિક વ્યાપક આર્થિક વાતાવરણ અનિશ્ચિત નજરે પડી રહ્યું છે અને ઘણી બધી કંપનીઓ લેઓફના મૂડમાં છે. જોકે, કેટલાક વિશ્લેષકોએ એ પણ ભવિષ્યવાણી કરી છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એ રીતના સંકટો સામે ઉભા રહેવા માટે મજબૂત સ્થિતિમાં છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.