આ દેશે આપી અદાણી ગ્રુપને ક્લીનચિટ, બોલ્યું- કંઈ ગરબડ નથી, બધી ડીલ નિયમ હેઠળ!

મુશ્કેલ સમયથી અદાણી ગ્રુપ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. મોરીશસે રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસ કમિશન (FSC)એ અદાણી ગ્રુપને કલીનચિટ આપી દીધી છે. ફાઇનાન્શિયલ સર્વિસ કમિશને કહ્યું કે, તેને અદાણી ગ્રુપ સાથે જોડાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રુપના મુદ્દામાં કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન મળ્યું છે. અમેરિકન રિસર્ચ ફાર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીને પબ્લિશ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અબજપતિ ગૌતમ અદાણીએ પોતાની લિસ્ટેડ કંપનીઓના શેરોની કિંમતોમાં હેરફેર કરવા માટે મોરિશસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કરી રહ્યું છે.

મોરીશસ બજાર નિયામકે કહ્યું કે, તેનો ઇન્ટરનેશનલ રિપોર્ટ અત્યાર સુધી પોતાના ભારતીય સમકક્ષ સાથે શેર કરવામાં આવ્યા નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ફાઇનાન્શિયલ સર્વિસ કમિશનના ચીફ એક્ઝિક્યૂટિવ અધિકારી ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું જે, મોરીશસના એ (અદાણી) ગ્રુપ સાથે જોડાયેલી બધી એકાઈઓનું શરૂઆતી આંકલન અને જમા કરવામાં આવેલી જાણકારીના આધાર પર અત્યાર સુધી અમને નિયમો તોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હાલમાં ભારતીય શેર બજાર નિયામક SEBI અદાણી ગ્રુપ અને મોરીશસની બે ફાર્મો ગ્રેટ ઇન્ટરનેશનલ ટાસ્કર ફંડ અને આયુષ્યમાં લિમિટેડ વચ્ચે સંબંધની તપાસ કરી રહ્યું છે. બંને ફાર્મોએ હાલમાં જ રદ્દ કરવામાં આવેલા અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં એન્કર રોકાણકારોના રૂપમાં ભાગ લીધો હતો. શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 50 ટકા કરતા વધારાનો ઘટાડો આવ્યો છે.

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓ ઓવરવેલ્યૂડ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપ દશકોથી સ્ટોક હેરાફેરી અને મની લોન્ડ્રિંગ કરી રહ્યું છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે, હિંડનબર્ગે યોગ્ય રીતે રિસર્ચ કર્યું નથી કે પછી જનતાને ભરમાવવા માટે તેણે ખોટા તથ્ય રજૂ કરવામાં આવ્યા છે. 100 કરતા વધુ પાનાંઓની પ્રતિક્રિયાઓમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે બધા આરોપોને ભ્રામક બતાવ્યા હતા.

આ અગાઉ ઓસ્ટ્રેલિયન બજાર નિયામક ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC)એ પણ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. ASICના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ વિરુદ્ધ આરોપોની સમીક્ષા કરશે અને એ નિર્ધારિત કરશે કે શું વધુ પૂછપરછની આવશ્યકતા છે? બ્રિટનના નાણાકીય નિયામક ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી (FCA), અદાણી ગ્રુપ અને લંડન સ્થિત કંપની ઇલારા કેપિટલ વચ્ચે સંબંધની પણ તપાસ કરી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.