રિલાયન્સથી અલગ થશે મુકેશ અંબાણીની આ કંપની, ડીમર્જર માટે તારીખ નક્કી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ (RIL) પોતાની સહયોગી ફર્મ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (RSIL)ને અલગ કરીને નવી કંપની બનાવવા જઈ રહી છે. તેના માટે રેકોર્ડ તારીખ 20 જુલાઇ નક્કી કરવામાં આવી છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ડીમર્જર બાદ કંપનીનું નામ બદલીને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (JFSL) થઈ જશે. એ સિવાય 20 જુલાઇના રોજ સમૂહ કંપનીના ઇક્વિટી શેરધારકોનું નિર્ધારણ કરશે, જે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ માટે નવા ઇક્વિટી શેર પ્રાપ્ત કરવાના હકદાર છે.
આ વર્ષે માર્ચમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું હતું કે, તે પોતાની નાણાકીય સેવાઓના ઉપક્રમે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ડીમર્જર કરવાની યોજના બનાવી રહી છે. હિતેશ કુમાર સેઠી MD અને CEOના રૂપમાં નવું યુનિટ કમાન સંભાળશે. અનુમાન છે કે કંપનીની કુલ સંપત્તિ લગભગ 1,50,000 કરોડ રૂપિયા છે, જેમાંથી લગભગ 1,10,000 કરોડ રૂપિયાની કિંમતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે. બાકી રકમ રિયલ નેટવર્થના રૂપમાં છે. તેની તુલનામાં બજાજ ફાઇનાન્સ જે વર્તમાનમાં સૌથી મોટી રિટેલ NBFC છે. તેની કુલ સંપત્તિ લગભગ 44,000 કરોડ રૂપિયા છે.
કંપનીએ જણાવ્યું કે, ડીમર્જર હેઠળ શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રત્યેક શેરના બદલે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના શેર મળશે. ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસને ડીમર્જ કરીને અલગ ફર્મ બનાવવાથી કંપની નાણાકીય સર્વિસિસ પર સારી રીતે ધ્યાન આપી શકશે. ડીમર્જર બાદ JFSL ઉપભોક્તા, વેપારીઓ વગેરેને લોન આપવા માટે જરૂરી રેગ્યુલેટરી પૂંજી પ્રદાન કરવા માટે લિક્વિડ એસેટ અધિગ્રહણ કરશે અને ઓછામાં ઓછા આગામી 3 વર્ષોમાં વીમા, પેમેન્ટ, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સેવાઓ ડેવલપ કરશે.
કે.આર. ચોક્સી હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના MD દેવેન ચોક્સીએ જણાવ્યું કે, જેમ જિયો ફાઇનાન્શિયલ પાસે બિઝનેસ ઉત્પન્ન કરવ માટે બજાર તૈયાર છે. આ રિલાયન્સ ગ્રુપના શેરધારકો માટે એક સારું વેલ્યૂ એડિશન હશે કેમ કે હાલના શેરધારાકોને રેકોર્ડ તારીખથી અગાઉ મફતમાં જિયો ફાઇનાન્શિયલની સર્વિસ મળશે. શેરધારકોને રેકોર્ડ તિથી બાદ તેમના ડીમેટમાં જિયો ફાઇનાન્શિયલના સ્ટોક મળી શકશે. RSIL બોર્ડે 6 જુલાઇ 2028 સુધી 5 વર્ષની અવધિ માટે એડિશનલ ડિરેક્ટરના રૂપમાં રાજીવ મહર્ષિ, સુનિલ મેહતા અને વિમલ મનુ તન્નાની નિમણૂકની પણ મંજૂરી આપી દીધી છે. બોર્ડે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને અંશુમન ઠાકુરને ગેર-કાર્યકારી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp