ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો 2 વર્ષમાં બમણો થયો, 2022માં 8400 કરોડ વધ્યા

દિગ્ગજ દિવંગત રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેર બજારના બિગબુલ કહેવાતા હતા. ઓગસ્ટ, 2022માં તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું. દલાલ સ્ટ્રીટના અનુભવી લોકોથી લઇને રિટેલ રોકાણકારો સુધી તેમના પોર્ટફોલિયો પર નજર રાખતા હતા. ગયા 2 વર્ષોમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ બેગણાથી પણ વધારે થઇને 32 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. જ્યારે, ફક્ત આ વર્ષે તેમના પોર્ટફોલિયોમાં 32 ટકાનો વધારો થયો છે, જ્યારે, આ દરમિયાન ઉથલ પાથલ ભરેલા બજારમાં વધારે પડતા ઇન્ડેક્સોનું રિટર્ન લગભગ નેગેટિવમાં જ રહ્યું છે. સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધી 2.71 ટકા ચઢ્યો છે.

ટ્રેન્ડલાઇન પર હાજર આંકડા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ હાલ 32,878 કરોડ રૂપિયા છે. જોકે, આજથી 2 વર્ષ પહેલા ડિસેમ્બર, 2022માં આ વેલ્યુ 16091 કરોડ રૂપિયા હતી. એ રીતે ગયા 2 વર્ષોમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 100 ટકાથી પણ વધારેનો ઉછાળો આવ્યો છે. જ્યારે એ રીતે એક વર્ષ પહેલા ડિસેમ્બર, 2021ના અંતમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ 24449 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 32878 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. આ રીતે વર્ષ 2022માં અત્યાર સુધી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 8429 કરોડ રૂપિયા એટલે કે, લગભગ 32.3 ટકાનો વધારો થયો છે.

ટ્રેન્ડલાઇન પર હાજર આંકડા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ લગભગ 30 શેર શામેલ છે. તેમાંથી તેમનું સૌથી મોટું હોલ્ડિંગ ટાટા ગ્રુપની કંપની ટાઇટનમાં 12535.2 કરોડ રૂપિયાની છે. બીજા નંબર પર સ્ટાર હેલ્થ એન્ડ અલાયડ ઇન્શ્યોરન્સ છે, જેમાં તેમના હોલ્ડિંગની વેલ્યુ લગભગ 5775.7 કરોડ રૂપિયા છે. જ્યારે, 3359.0 કરોડ રૂપિયાના હોલ્ડિંગની વેલ્યુ સાથે મેટ્રો બ્રાન્ડ્સ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ તેમના પોર્ટફોલિયોને હવે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સંભાળે છે. રાકેશ ઝુનઝુનવાલા પહેલા પર પોતાના પત્નીના નામથી કેટલીક કંપનીઓમાં રોકાણ કરતા રહેતા હતા અને તેમના પોર્ટફોલિયોમાં રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ પણ શામેલ છે. વ્યક્તિગત રૂપે રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ લગભગ 10000 કરોડ રૂપિયા છે. રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સના પોર્ટફોલિયોની વેલ્યુ ઘણા વર્ષોથી બદલાતી રહી છે અને તેમાં પણ ઘણી ઉથલ પાથલ થતી આવી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.