88 હજાર કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ થવાના સમાચાર અંગે જાણો RBIએ શું કહ્યું

ગત દિવસોમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, 88,032.5 કરોડ રૂપિયાની કિંમતની 500 રૂપિયાની નોટ રહસ્યમય ઢંગે દેશની ઇકોનોમીથી ગાયબ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ રિપોર્ટને ફગાવ્યો છે. રિપોર્ટ મુજબ માહિતીના અધિકાર (RTI) હેઠળ એક જવાબથી ખબર પડી કે નાસિકની કરન્સી નોટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 375.450 મિલિયન નોટ છાપવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, RBIના રેકોર્ડથી ખબર પડે છે કે એપ્રિલ 2015 અને ડિસેમ્બર 2016 વચ્ચે કેન્દ્રીય બેંકને માત્ર 345.000 મિલિયન પ્રિન્ટેડ નોટ જ મળી હતી.

આ બાબતે રિઝર્વ બેન્કે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, માહિતીની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. રિઝર્વ બેંક પાસે પ્રિન્ટિંગ પ્રેસથી RBIને વિતરિત કરવામાં આવેલી બધી બેંક નોટોનો ઉચિત હિસાબ છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે, 500 રૂપિયાની નોટ ગાયબ થઈ છે, પરંતુ એ સાચું નથી. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ રિપોર્ટ માહિતીના અધિકાર અધિનિયમ,, 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસોથી એકત્ર કરવામાં આવેલી જાણકારીની ખોટી વ્યાખ્યા પર આધારિત છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે, એ ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રિન્ટિંગ પ્રેસથી રિઝર્વ બેંકને વિતરિત કરવામાં આવેલી બધી નોટોનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે. નોટોનું છાપકામ, સ્ટોરેજ અને વિતરણની દેખરેખ માટે પ્રોટોકોલ સહિત પ્રેસમાં છપાયેલા અને વિતરણ કરવામાં આવેલી બેંક નોટોના મિલાન માટે તેની પાસે મજબૂત સિસ્ટમ ઉપલબ્ધ છે. એટલે લોકોને અનુરોધ છે કે એવી બાબતે રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર પ્રકાશિત થનારી સૂચનાઓ પર જ ભરોસો કરો.

રિપોર્ટમાં શું હતું?

RTI રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 88,032.50 કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ છે. 500 રૂપિયાની 8,810.65 મિલિયન નવી નોટ જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કે 7,260 મિલિયનની નોટ જ પ્રાપ્ત કરી. આંકડાઓ મુજબ 1760.65 મિલિયન નોટ ભારતીય ઇકોનોમીથી ગાયબ છે, જેની કિંમત 88.032.50 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે 3 યુનિટ છે, જ્યાં નોટોનું છાપકામ થાય છે.

નાસિક સ્થિત પ્રિન્ટિંગ પ્રેસથી વર્ષ 2016-17 દરમિયાન 1662 મિલિયન નોટ રિઝર્વ બેંકને મોકલવામાં આવી હતી. બેંગ્લોર યુનિટથી 5195.65 અને દેવાસથી 1953 મિલિયન નોટ રિઝર્વ બેંકને સપ્લાઈ કરવામાં આવી હતી. ત્રણેયને મળાવીને 8810.65 મિલિયન નોટ થઈ. તેમાંથી માત્ર 7260 મિલિયન નોટ જ રિઝર્વ બેન્કે રીસિવ કરી હતી, પરંતુ રિઝર્વ બેન્કે નોટ ગાયબ થવાના દાવાઓને પૂરી રીતે નકારી દીધી છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું કે, તેની પાસે બધી નોટોનો પૂરો હિસાબ છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.