RBI ગવર્નરે જણાવ્યું અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી, બદલવાને બદલે લોકો...

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, બેંકમાં પાછી આવેલી 85 ટકા નોટો અત્યાર સુધીમાં જમા થઈ ગઈ છે. જ્યારે, બાકીની 15 ટકાને બદલવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, ચલણમાંથી રૂ.2,000ની નોટો પાછી ખેંચવાના નિર્ણયના એક મહિનામાં કુલ રૂ.3.62 લાખ કરોડ રૂપિયામાંથી બે તૃતિયાંશથી વધુ (રૂ.2.41 લાખ કરોડથી વધુ) નોટો બેંકમાં પરત ફરી ચુકી છે. તેમણે એમ પણ કહ્યું કે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાથી અર્થતંત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. 19 મેના રોજ કેન્દ્રીય બેંકે અચાનક રૂ. 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. લોકો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈને 2,000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકશે.

પોતાની RBI ઓફિસમાં મીડિયા સૂત્રો સાથે વાત કરતા દાસે કહ્યું કે, 2000ની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા થવાના રૂપમાં આવી છે. એટલે કે લોકો 2000ની વધુ નોટો બદલવાને બદલે બેંકમાં જમા કરાવી રહ્યા છે. અગાઉ, 8 જૂને નાણાકીય નીતિ સમીક્ષા પછી, દાસે કહ્યું હતું કે, 1.8 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો પાછી આવી છે. આ ચલણમાં રૂ. 2,000ની કુલ નોટોના લગભગ 50 ટકા જેટલી હતી.

2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અર્થવ્યવસ્થા પર અસર વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, 'હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે, હમણાં જે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે તેની અર્થવ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર નહિ પડશે.' અહીં તમને બતાવી દઈએ કે, SBI રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંકમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાથી વપરાશમાં ઝડપ આવી શકે છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકાથી વધુ વધી શકે છે.

રિપોર્ટ અનુસાર, 'અમે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ અમારા અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ RBIના 6.5 ટકાના અંદાજ કરતાં વધી શકે છે.' RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.

આ રિપોર્ટ વિશે પૂછવામાં આવતા દાસે કહ્યું, 'જ્યારે 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે તેને આર્થિક વૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા ન હતી..., આ નિર્ણયનું પરિણામ કઈ પણ આવે તે પછીથી જાણવા મળશે, પરંતુ એક વાત હું સ્પષ્ટપણે કહી શકું છું. હમણાં જે રૂ.2,000ની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે, તેની અર્થવ્યવસ્થા પર કોઈ વિપરીત અસર નહીં થાય. હજુ કેટલું સકારાત્મક પરિણામ આવે છે, તે તો પછી ખબર પડશે.'

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.