અદાણી ગ્રુપને આ બેંકે આપી 21000 કરોડની લોન, બેંકના ચેરમેને આપ્યું આ નિવેદન

ભારતની સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ 21,000 કરોડ (2.6 અબજ ડૉલર) રૂપિયાની લોન અદાણી ગ્રુપના ફર્મોને આપી છે. SBIના નિયમો હેઠળ જેટલી લોનની મંજૂરી આપી છે, આ રકમ તેની અડધી છે. ગુરુવારે આવેલા એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SBI દ્વારા અદાણીને આપવામાં આવેલા પૈસાઓમાં તેની વિદેશી એકાઇઓથી 200 મિલિયન ડૉલર પણ સામેલ છે.

SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ ગુરુવારે કહ્યું કે, ઉથલ-પાથલથી પ્રભાવિત અદાણી ગ્રુપની કંપનીઓ દેવાવાળી થઇ ચૂકી છે અને બેંકે અત્યાર સુધી જે કંઇ પણ લોન આપી છે તેમાં તાત્કાલિક તેમને કોઇ પડકાર દેખાઇ રહ્યો નથી. બ્લૂમબર્ગને એક જાણકારના આધારે આ જાણકારી આપી છે. ગુરુવારે BSE પર SBIના શેર 527.75 રૂપિયા પર લગભગ સપાટ કારોબાર કરી રહ્યા હતા. અમેરિકા સ્થિત ફાર્મ હિન્ડનબર્ગના એક રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓને માર્કેટ કેપિટલાઇઝેશનનું જોરદાર નુકસાન થયું હતું.

એક રિપોર્ટ મુજબ, હિંડનબર્ગના રિપોર્ટ બાદ એક અઠવાડિયામાં અદાણી ગ્રુપની કંપનીઓને 100 અબજ ડૉલરના માર્કેટ કેપિટલાઇઝેશનનું નુકસાન થયું. હિંડનબર્ગના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના નાણાકીય કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. જો કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક બતાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપે આ મામલાને કોર્ટમાં લઇ જવાની વાત પણ કહી હતી. ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બધી સરકારી બેંકોને કહ્યું છે કે, તેમણે કેટલી લોન અદાણી ગ્રુપને આપી છે. તેની જાણકારી RBIને આપે. સમાચાર એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. તેના રિપોર્ટ મુજબ RBI એ જે જાણકારી માગી છે તેમાં લોન માટે અદાણી ગ્રુપની જે સંપત્તિઓને કોલેટરલના રૂપમાં માનવામાં આવી છે તેની લિસ્ટ પણ સામેલ છે. એ સિવાય અદાણી ગ્રુપમાં બેંકના અપ્રત્યક્ષ જોખમની લિસ્ટ પણ માગવામાં આવી છે.

SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અદાણી ગ્રુપ સાથે જોખમોને લઇને ચિંતાજનક કોઇ વાત નથી. અદાણી ગ્રુપે હાલમાં બેંક પાસે કોઇ ફંડ લીધું નથી. Societe Generale નામની એક સંસ્થાએ બુધવારે કહ્યું કે, અદાણી ગ્રુપમાં ઇન્ડિયન બેન્કિગ સેક્ટરનું જોખમ માત્ર 0.6 ટકા છે. અદાણી ગ્રુપ દ્વારા FPO રદ્દ કર્યા બાદ ગુરુવારે પણ કંપનીના શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો. ત્યારબાદ આ દિગ્ગજ કંપનીનું માર્કેટ લોસ 100 બિલિયન ડૉલર સુધી જતું રહ્યું.

ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોકમાં લગભગ 20 ટકાનો ઘટાડો નોંધાયો, જે માર્ચ 2022 બાદ પોતાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયા છે. આ ગ્રુપની અન્ય કંપનીઓ પણ દબાવમાં જોવા મળી. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 5 ટકાથી નીચે હતા, જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતી. જો પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો આ બેંકનું અદાણી ગ્રુપમાં કુલ જોખમ 7,000 કરોડ રૂપિયા છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.