ગૌતમ અદાણીએ NCP ચીફ શરદ પવાર સાથે કરી મુલાકાત, અટકળોનું બજાર ગરમ

મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ગરમાગરમી જોવા મળી રહી છે. મહાવિકાસ અઘાડીમાં તિરાડ પડવાની સંભાવનાઓ વચ્ચે શરદ પવારના રાજકારણને લઇને તમામ પ્રકારની ચર્ચાઓ છે. બીજી તરફ, NCP ચીફ શરદ પવાર અને બિઝનેસમેન ગૌતમ અદાણીની વચ્ચે મુલાકાત થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શરદ પવારના મુંબઈ સ્થિત આવાસ પર ગૌતમ અદાણી પહોંચ્યા. હજુ એ સ્પષ્ટ નથી થયુ કે, આ મુલાકાત શિષ્ટાચાર મુલાકાત છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ છે. બે દિવસ સુધી શરદ પવારના ભત્રીજા અજીત પવારે BJP માં સામેલ થવાની અટકળો પર મૌન સેવી રાખ્યું. ત્યારબાદ પ્રેસ કોન્ફ્રેન્સમાં તેમણે કહ્યું કે, હું એફિડેવિટ લખીને આપી શકું છું કે હું NCP માં જ રહીશ.

બિઝનેસમેન ગૌતમ અદાણી ગુરુવારે શરદ પવારના મુંબઈ સ્થિત સિલ્વર ઓક આવાસ પહોંચ્યા. ત્યાં પવાર અને અદાણી વચ્ચે મુલાકાતની જાણકારી સામે આવી છે. આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે, જ્યારે પવારે અદાણી-હિંડનબર્ગ મામલામાં વિપક્ષના વલણથી અલગ સ્ટેન્ડ લીધુ હતું. પવારે આ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યા હતા. પવારે સુપ્રીમ કોર્ટની કમિટી પાસે તપાસ કરાવવાની વકાલત કરી હતી. જોકે, બાદમાં તેમણે કહ્યું હતું કે, જો વિપક્ષ એક વાત પર અડી રહ્યું હોય તો તેમને કોઈ વાંધો નથી.

એક ઇન્ટરવ્યૂમાં શરદ પવાર કહ્યું હતું કે, એક જમાનો એવો હતો કે સત્તાધારી પાર્ટીની ટીકા કરવી હોય તો આપણે ટાટા-બિરલાનું નામ લઇને ક્રિટિસિઝ્મ કરતા હતા. આજકાલ ટાટા-બિરલાનું નામ લેતા નથી. આજકાલ અંબાણી-અદાણીનું નામ લે છે, તેમનું દેશમાં શું યોગદાન છે, તે અંગે પણ આપણે વિચારવાની જરૂર છે.

NCP ચીફ શરદ પવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અદાણી હિંડનબર્ગ વિવાદ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. પવારે આ દરમિયાન કહ્યું કે, આજકાલ અદાણી અંબાણી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વીજળી ક્ષેત્રમાં અદાણીનું મહત્ત્વનું યોગદાન છે. અદાણીના મુદ્દા પર જ્યારે પવારને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અદાણી-હિંદનબર્ગ મામલામાં જેપીસી તપાસની જરૂર નથી કારણ કે, તેનો નિષ્કર્ષ સત્તા પક્ષ પ્રમાણે જ રહેશે. પવારે કહ્યું કે, તેમનું માનવુ છે કે, આ મામલામાં તપાસ સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની કમિટી પાસે કરાવવી જોઈએ. આ કમિટીમાં એક રિટાયર્ડ જજ પણ સામેલ થઈ શકે છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ તમામ ઉઠાપટક ચાલી રહી છે. જુલાઈમાં એકનાથ શિંદેના સત્તા સંભાળ્યા બાદ નવી રાજકીય સંભાવનાઓ બની-બગડી રહી છે. NCP ચીફ શરદ પવારના ભત્રીજા અજીત પવારને લઈને પણ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ BJPમાં સામેલ થઈ શકે છે. પરંતુ, મંગળવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં અટકળો પર હાલ બ્રેક લગાવી દીધી. અજીત પવારે કહ્યું કે, તેઓ NCP છોડીને ક્યાંય નથી જઈ રહ્યા અને એક એફિડેવિટ પર લખી શકે છે કે તેઓ NCPમાં જ રહેશે. અજીત પવારે કહ્યું હતું કે, તેમના વિશે અફવાઓ ઉડાવવામાં આવી રહી છે. તેમજ, શરદ પવારે પણ કહ્યું હતું કે, અજીત પવાર ચૂંટણી સંબંધી કામમાં વ્યસ્ત છે અને માત્ર મીડિયામાં એવા સમાચાર ચાલી રહ્યા છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.