બિલ વખતે વેપારી મોબાઇલ નંબર માંગે તો આપવું જરૂરી છે? જાણો શું છે કાયદો

ઘણા વેપારીઓ જ્યારે ગ્રાહકો ખરીદી કરે ત્યારે બિલ બનાવતી વખતે મોબાઇલ નંબર માંગતા હોય છે, પરંતુ કન્ઝયુમર અફેર્સ મંત્રાલયે નવી એડવાઇઝરી બહાર પાડીને કહ્યું છે કે કોઇ પણ વેપારી ગ્રાહકની મંજૂરી વગર મોબાઇલ નંબર માંગી શકશે નહીં. જો ગ્રાહકની પરવાનગી વગર ફોન નંબર માંગવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ગ્રાહકો ધ્યાન રાખે કે તમે કોઇ ખરીદી કરો અને વેપારી તમારો મોબાઇલ નંબર માંગે તો આપવો ફરજિયાત નથી.

કન્ઝયુમર અફેર્સ મંત્રાલયને આવી અનેક ફરિયાદ મળી હતી કે ખરીદી કરતી વખતે જ્યારે બિલ બનાવવામાં આવે છે ત્યારે મોબાઇલ નંબર માંગવામાં આવે છે અને જો મોબાઇલ નંબર ન આપવામાં આવે તો વસ્તુ વેચવાની ના પાડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

કન્ઝયુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંઘે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, અનેક ગ્રાહકોની અમને ફરિયાદ મળી છે જેમાં તેમણે મોબાઇલ નંબર ફરજિયાત આપવો પડતો હોવાનું કહેવામાં આવ્યું હતું. એવા પણ કિસ્સા સામે આવ્યા હતો કે મોબાઇલ નંબર નહીં આપવા પર વેપારી બિલ પણ જનરેટ કરતો નથી.

સિંઘે કહ્યુ કે મોબાઇલ નંબર માંગવાની વેપારીઓની નીતિ ખોટી છે અને તેમાં કોઇ તથ્ય નથી. ગ્રાહકની  પરવાનગી વગર મોબાઇલ નંબર માંગી શકાતો નથી.ગ્રાહકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી તેમના હિત માટે રિટેલ ઉદ્યોગ અને CII, FICCI અને ASSOCHAM જેવી સંસ્થાઓને એડવાઈઝરી મોકલાશે.

શોપિંગ કર્યા પછી, બિલ માટે ગ્રાહકનો મોબાઈલ નંબર પૂછવા પર, ગ્રાહકનો નંબર દુકાનદારના ડેટાબેઝમાં ફીડ થઈ જાય છે, જેના કારણે આવનારા સમયમાં ગ્રાહકોને ઓફર વગેરે માટે કોલ અને મેસેજ આવવા લાગે છે. ઘણી વખત આ કોલ અને મેસેજને કારણે ગ્રાહકો ખૂબ ગુસ્સે થઈ જાય છે, હવે સરકારે આ પ્રથા બંધ કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.

અન્ય એક પગલામાં, મંત્રાલયે સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ માટે યુનિવર્સલ ચાર્જિંગ પોર્ટ - યુએસબી ટાઇપ-સી - ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને રજૂ કરવા અંગે તેના મંતવ્યો મોકલ્યા છે, જે સૂચવે છે કે આ ચાર્જર્સનો રોલઆઉટ જૂન 2025 થી થઈ શકે છે. પૂર્ણ વાસ્તવમાં, મંત્રાલય ઈ-વેસ્ટ ઘટાડવા માટે માત્ર બે પ્રકારના ઈલેક્ટ્રોનિક ચાર્જિંગ ઉપકરણો માટે સામાન્ય ચાર્જરનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.