2000ની ફાટેલી નોટની કેટલી કિંમત મળશે? જાણો શું કહે છે RBIનો નિયમ

2000 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સર્ક્યૂલેશન પરત લઈ રહી છે. 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી આ નોટોને બેન્કોમાં બદલાવી કે જમા કરાવી શકાય છે. 2000 રૂપિયાની નોટો બદલાવવાને લઈને લોકોના મનમાં ઘણા સવાલ છે. તેમાંથી એક સવાલ છે કે, જો 2000 રૂપિયાની નોટ તૂટેલી ફાટેલી હોય કે સળગેલી હોય તો શું બેંક તેને સ્વીકારશે? જો તેમને લેવામાં આવે છે તો ચૂકવણી કયા હિસાબે થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (નોટ રિફંડ)ના નિયમ હેઠળ ફાટેલી તૂટેલી નોટને બદલી શકાય છે.

આખા દેશમાં રિઝર્વ બેંકની ઓફિસ અને નામિત બેન્કોમાં નોટ બદલાવી શકાય છે, પરંતુ ચૂકવણી નોટની સ્થિતિના આધાર પર થાય છે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની ફાટેલી તૂટેલી નોટ છે, તો પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે તમને આ આર્ટિકલમાં જણાવીએ છીએ કે, તમે કેવી રીતે ફાટેલી તૂટેલી નોટોને ચેન્જ કરાવી શકો છો અને બેંક તેના બદલે તમને કેટલા પૈસા પરત આપે છે.

કઈ બેન્કોમાં બદલી શકશે ફાટેલી નોટ:

તૂટેલી ફાટેલી નોટ બદલવાની સુવિધા માત્ર રિઝર્વ બેંક દ્વારા નામિત બેન્કોમાં થાય છે. ભારતીય રિઝર્વ બેન્કે સંબંધિત બેન્કોને સ્પષ્ટ રૂપે દિશા નિર્દેશ આપ્યા છે કે તેઓ ફાટેલી તૂટેલી નોટ બદલે અને તેમણે આ સુવિધાઓ માટે શાખાઓમાં બોર્ડ પણ લગાવવા જોઈએ. એવામાં બેન્કના કર્મચારી તમને નોટ બદલાવ માટે ના નહીં પાડી શકે.

તૂટેલી ફાટેલી નોટની ચુકવણી સાથે સંબંધિત નિયમ:

ફાટેલી તૂટેલી નોટ બદલવાની તેમની સ્થિતિ પર નિર્ભર કરે છે. રિઝર્વ બેન્કે દરેક કિંમતની તૂટેલી ફાટેલી નોટની ચૂકવણીને લઈને નિયમ બનાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર રહેલી જાણકારી મુજબ 2000 રૂપિયાની નોટની લંબાઈ 16.6, પહોળાઈ 6.6 અને એરિયા 109.56 વર્ગ સેન્ટિમીટર હોય છે. એવામાં નોટ 88 વર્ગ સેન્ટિમીટર હોવા પર પૂરા પૈસા મળશે. તો 44 વર્ગ સેન્ટિમીટરથી અડધી હોવા પર અડધા જ પૈસા મળશે. બરાબર એ જ પ્રકારે 500 રૂપિયાની નોટ 80 વર્ગ સેન્ટિમીટર હોવા પર ફૂલ પૈસા મળશે, જ્યારે 40 વર્ગ સેન્ટિમીટર હોવા પર અડધી રકમ આપવામાં આવશે.

બેંક ગ્રાહકોને ફાટેલું તુટેલી નોટ બદલવા માટે કોઈ ફીસ લેતી નથી. જો કે, બેંક એવી નોટ બદલાવની ના નહીં શકે છે, જે ખૂબ જ ખરા હોય કે પછી વધાર સળગેલી હોય. કેટલીક ખૂબ જ ખરાબ સ્થિતિવાળી નોટને રિઝર્વ બેંક ની ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. 2000 રૂપિયાની નોટોને 30 સપ્ટેમ્બ સુધી બદલાવી શકાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.