2000ની નોટ બદલવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમનો ઇનકાર

ઓળખ પત્ર (ID) દેખાડ્યા વિના 2,000 રૂપિયાની નોટ બદલવા વિરુદ્ધની અરજીને તાત્કાલિક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો કેસ નથી, જેની તાત્કાલિક સુનાવણી થાય. અરજીકર્તા ઉનાળાની રજા બાદ જસ્ટિસને સુનાવણીનો અનુરોધ કરે. આ અગાઉ દિલ્હી હાઇ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. અરજીકર્તા વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે નોટ બદલનારાઓની ઓળખ કર્યા વિના તેને બદલવાથી ભ્રષ્ટ અને દેશ વિરોધી તત્વોને ફાયદો થઈ રહ્યો છે.

29 મેના રોજ દિલ્હી હાઇ કોર્ટ તેને નીતિગત વિષય બતાવતા અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે.વી. વિશ્વનાથની બેન્ચ સામે પોતાની અરજી રાખતા અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી રહી હતી કે નિર્ણય માનમાનીપૂર્ણ છે. તેને મંજૂરી આપીને હાઇ કોર્ટે ખોટો સાબિત કરી દીધો, પરંતુ જજોએ અશ્વિની ઉપાધ્યાયની અપીલ પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 લાખ રૂપિયાથી વધુની રકમની 2,000 રૂપિયાની નોટ ભ્રષ્ટાચારીઓ, માફિયા કે દેશ વિરોધી શક્તિઓ પાસે હોવાની આશંકા છે.

એવામાં ઓળખપત્ર જોયા વિના નોટ બદલવાથી એવા તત્વોને ફાયદો થઈ રહ્યો છે. ભારતમાં આજે એવો કોઈ પરિવાર નથી, જેની પાસે બેંક અકાઉન્ટ નહીં હોય. એટલે 2,000 રૂપિયાની નોટ સીધી બેંક ખાતામાં જમા થવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોઈ વ્યક્તિ માત્ર પોતાના ખાતામાં જ નોટ જમા કરાવી શકે છે, કોઈ બીજાના ખાતામાં નહીં. દિલ્હી હાઇ કોર્ટમાં બહેસ દરમિયાન રિઝર્વ બેન્કે અરજીનો વિરોધ કેરો હતો. રિઝર્વ બેંક તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ વર્ષ 1981માં આવેલા આર.કે. ગર્ગ વર્સિસ ભારત સરકાર’ના કેસના નિર્ણયનો સંદર્ભ આપ્યો હતો.

તેમની દલીલ હતી કે, નાણાકીય અને મૌદ્રિક નીતિમાં કોર્ટ દખલઅંદાજી નહીં કરી શકે. ત્રિપાઠીએ કહ્યું હતું કે, નોટ જાહેર કરવી અને તેને પરત લેવાનો રિઝર્વ બેન્કનો અધિકાર છે. તેમાં કોર્ટે દખલઅંદાજી ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું હતું કે, 2000ની નોટ ચલણથી બહાર કરવામાં આવી રહી છે, જે હેઠળ લોકો બેન્કોમાં 2000ની નોટ જમા કરાવી શકે છે. બેન્કોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.