T+1 સેટલમેન્ટ ભારતના રોકાણકારો માટે સારું પગલું, નિતિન કામથે જણાવ્યા ફાયદા

ભારતમાં શેર બજારમાં ટ્રેડ કરનારા રોકાણકારો માટે ખુશખબર છે. અત્યાર સુધી ભારતીય શેર બજારમાં શેરોનું ખરીદ વેચાણ ટ્રેડ પછી 2 દિવસમાં સેટલ કરવામાં આવતું હતું. હવેથી આ ટ્રેડ કરવા માટે એક દિવસમાં જ સેટલમેન્ટ થઇ જશે. તેનો મતલબ એ થાય છે ક, જો તમે શેર બજારમાં કોઇ શેરને વેચો છો અને તેના પૈસા તમારા એકાઉન્ટમાં આવવામાં 2 કિરોબારી દિવસ લાગતા હતા, તો હવે આ એક કારોબારી દિવસમાં જ તમારા ખાતામાં આવી જશે.

ગ્રાહકોની સંખ્યાના હિસાબે દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સંસ્થાપક નિતિન કામથે તેને રોકાણકારો માટે એક સારું પગલું ગણાવ્યું છે. નિતિન કામથે સોશિયલ મીડિયા સાઇટ લિન્ક્ડઇન પર લખ્યું કે, ભારત દુનિયાના એ પ્રમુખ શેર બજારમાં શામેલ થઇ ગયું છે કે જ્યાં T+1 સેટલમેન્ટ સાઇકલ લાગૂ થઇ ગઇ છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફ્ટીના હિસાબે તે દુનિયાના વિકસિત દેશોની લાઇનમાં ઉભું થઇ ગયું છે.

T+1 સેટલેમ્ટ સાઇકલ ગયા શુક્રવારથી લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમના શરૂઆતના ફેઝમાં અમુક કંપનીના શેરો માટે જ આ સિસ્ટમ સીમિત રાખવામાં આવી હતી. આ રીતે ધીમે ધીમે 4 ફેઝમાં આ સિસ્ટમને લાગૂ કરવામાં આવી છે અને હવે આ સિસ્ટમ હેઠળ દરેક કંપનીના શેરોને આવરી લેવામાં આવ્યા છે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ શેર બજારને બન્ને એક્સચેન્જના સોદા પર લાગુ કરવામાં આવી ગઇ છે. અત્યાર સુધી ભારતીય બજારોમાં દરેક સ્ટોક T+2 સુધી સેટલ કરવામાં આવતા હતા અને હવે T+1 સેટલમેન્ટમાં બદલાઇ જશે.

SEBIએ ઓગસ્ટ 2021માં T+2ની જગ્યા પર T+1 સેટલમેન્ટ સાઇક લાગુ કરવાના વિચાર પર એક્સપર્ટ પેનલ બનાવી હતી. દેશમાં એપ્રિલ 2003થી T+2 સેટલમેન્ટ સાઇકલ લાગુ છે. જ્યારે તમે શેર વેચો છો, તો એ શેર તરત જ બ્લોક થઇ જાય છે અને રકમ તમને કારોબારી દિવસના બે દિવસમાં મળે છે. તેના પહેલા દેશમાં T+3 સેટલમેન્ટ સાઇકલ ચાલી રહી હતી.

ઝીરોધાના સંસ્થાપક નિતિન કામથે આ વિશે સોશયલ મીડિયા પર લખ્યું છે કે, જો તમે કોઇ શેર ખરીદો છો તો તે હવે તમારા ડીમેટ એકાઉન્ટમાં આગામી દિવસે આવી જશે અને તમે એ શેર વેચો છો તો તમારા એકાઉન્ટમાં આગલા દિવસે જ ફંડ આવી જશે. અત્યાર સુધી આ સાઇકલને પુરી થવામાં ટ્રાન્ઝેક્શન પછી 2 દિવસ લાગતા હતા હવે આ સાઇકલ 1 દિવસમાં જ પુરી થઇ જશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.