ચંદ્રાબાબુ આ બાજુ ચૂંટણી જીત્યા અને બીજી બાજુ તેમના પત્નીની સંપત્તિ 500 કરોડ વધી

On

શેર બજાર માટે આ અઠવાડિયે ભારે ઉથલ-પાથલવાળું રહ્યું. લગભગ દરેક સેશનમાં બજારે મોટો બદલાવ જોયો છે. ચૂંટણી પરિણામવાળા દિવસે તો બજાર ઘણા વર્ષોની સૌથી મોટા ઘટાડાનું સાક્ષી બન્યું. જોકે વોલેટાઇલ બજારમાં પણ ક FMCG સ્ટોક રોકેટ બન્યા છે. મજેદાર છે શેરની રેલીએ TDP લીડર એ. ચંદ્રબાબુ નાયડુના પરિવારજનોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોક FMCG કંપની હેરિટેજ ફૂડ્સના છે.

આ શેર પર શુક્રવારે પણ અપર સર્કિટ લાગેલું હતું અને તે 10 ટકા ઉછળીને 661.25 રૂપિયા પર પહોંચ્યા હતા. આ શેરનો 52 વીક નવો હાઇ પણ છે. ચૂંટણી પરિણામવાળા દિવસે 4 જૂને જ્યારે આખો બજાર કડાકો બોલાવી રહ્યો હતો, એ દિવસે પણ આ શેર ઉડાણ ભરી રહ્યા હતા. માત્ર આ અઠવાડિયે આ શેર 55 ટકાથી વધુ મજબૂત થઇ ગયા. FMCG સ્ટોક હેરિટેજ ફૂડસની કિંમત 31 મે 2024ના રોજ માત્ર 402.90 રૂપિયા હતી.

તો ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ એટલે કે 3 જૂને તેના શેરની કિંમત 424.45 રૂપિયા હતી. પરિણામના આગામી દિવસે એટલે કે 5 તારીખે આ શેરે 20 ટકાની છલાંગ લગાવી દીધી હતી. આ શેરની કિંમત પર 3 દિવસથી અપર સર્કિટ લાગેલું રહ્યું. આ શેરને ચૂંટણી પરિણામથી ઘણો સપોર્ટ મળ્યો છે. હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે TDP નેતા ચંદ્રબાબુ નાયડુના પુત્ર છે. આ કંપનીમાં નાયડુ પરિવારની સારી એવી હિસ્સેદારી છે.

ચૂંટણી પરિણામમાં ભાજપને એકલાને બહુમત ન મળવાથી TDPની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઇ ગઇ છે. હવે બનનારી નવી સરકારમાં TDPનું ઘણું મહત્ત્વ રહેવાનું છે. બીજી તરફ પાર્ટી આંધ્ર પ્રદેશમાં પણ સત્તામાં કમબેક કરવામાં સફળ થઇ છે. તેનાથી શેરની કિંમત ચઢી ગઇ છે. હેરિટેજ ફૂડ્સમાં ચંદ્રબાબુ નાયડુની કંપનીની પત્ની નારા ભુવનેશ્વરી પાસે 24.37 ટકા હિસ્સેદારી છે. તેમના પોર્ટફોલિયોમાં કંપનીના ટોટલ 2,26,11,525 શેર છે. છેલ્લા 5 દિવસોમાં કંપનીના શેરોની કિંમતમાં જેવી તેજી આવી છે, તેનાથી ભુવનેશ્વરીની હિસ્સેદારીની વેલ્યૂમાં શાનદાર 579 કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati