શાર્ક ટેન્ક ઈન્ડિયાની નવી સિઝનમાં જજ તરીકે એક નવો ચહેરો દેખાશે, જાણો કોણ છે?

ટેલીવિઝન પર પોપ્યુલર થયેલો રિયાલિટી શો શાર્ક ઇન્ડિયાની ત્રીજી સિઝન ટુંક સમયમાં ફરી આવી રહી છે અને આ શોમાં જજની ખુરશી પર તમને એક નવો ચહેરો જોવા મળશે. શાર્ક ઇન્ડિયા સિઝન-3માં જજ તરીકે OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ જોવા મળશે. અગ્રવાલે પોતે ટ્વીટ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

શાર્ક ટેન્ક ઇન્ડિયાની આ ત્રીજી સીઝન હશે. આ અમેરિકન શો 'શાર્ક ટેન્ક'નું ભારતીય રૂપાંતરણ છે. આ શો ઉભરતા સાહસિકોને તેમના ઉત્પાદનો અને સેવાઓને રોકાણકારો અને શાર્કની પેનલમાં રજૂ કરવાની તક આપે છે.

એ પછી શાર્ક્સ એન્ટરપ્રિન્યોર કંપનીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. શાર્ક ટેંક ઇન્ડિયાની પહેલી સિઝન ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી, બીજી સિઝન જાન્યુઆરી 2023થી માર્ચ 2023 સુધી ચાલી હતી, હવે નવી સિઝનની તૈયારી થઇ ગઇ છે.

OYOના યુવાન ફાઉન્ડર રિતેશ અગ્રવાલે પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે મેં મારી પોતાની એન્ટરપ્રિન્યોર જર્ની શરૂ કરી હતી, તે વખતે રિસોર્સીઝ મળવા ખુબ મુશ્કેલ હતા. જો કે ઇકો સિસ્ટમ એટલેકે મેન્ટર્સ અને અન્ય ફાઉન્ડર્સ ખુબ ઉદાર હતા, જેમણે મને ખુબ મદદ કરી જેને કારણે મારી જર્ની આસાન થઇ ગઇ હતી.

રિતેશ અગ્રવાલે આગળ લખ્યું કે મેં ગણા સ્ટાર્ટઅપ્સને સહયોગ કર્યો છે. અનેક એન્ટરપ્રિન્યોરને માર્ગદર્શન આપ્યું છે. આખા ભારતમાં સ્મોલ બિઝનેસને સહાય કરી છે અને જ્યારે પણ સંભવ બન્યું છે ત્યારે એ ક્મ્યુનિટીને દિલથી મદદ કરી છે, જેઓ મારા શરૂઆતના દિવસોમાં મારી સાથે ઉભા હતા. રિતેશે કહ્યુ કે હું શાર્ક ટેંક ઇન્ડિયા સિઝન-3નો એક નાનકડો હિસ્સો બનવા જઇ રહ્યો છું.

રિતેશે એક તસ્વીર પણ શેર કરી છે જેમાં શાર્ક ટેંક ઇન્ડિયાના શાર્ક્સ એટલે જજ સાથે જોવા મળી રહ્યા છે. બોટના કો- ફાઉન્ડર, અમન ગુપ્તા, Shaadi.comના ફાઉન્ડર અનુપમ મિત્તલ, શુગર કોસ્મેટિક્સની CEO વિનિતા સિંહ અને લેંસકાર્ટના ફાઉન્ડર પીયુષ બંસલ નજરે પડી રહ્યા છે.

માત્ર 29 વર્ષના રિતેશ અગ્રવાલે વર્ષ 2013માં પોતાની કંપની OYO રૂમ્સ લોંચ કરી હતી. એ પહેલા રિતેશ ફેલોશિપ પ્રોગ્રામના વિજેતા બન્યા હતા, જેમાં તેમને 8 લાખ 30 હજાર 3500 રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, જે પૈસાથી તેમણે OYOની શરૂઆત કરી હતી.

રિતેશ અગ્રવાલે શેર કરેલી તસ્વીરમાં નમિતા થાપર નથી, પરંતુ જાણવા મળેલી માહિતી મુજબ નમિતા સિઝન-3માં જજ તરીકે સામેલ હશે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.