કલ્યાણ જ્વેલર્સના શેરના ભાવમાં એકાએક ઉછાળો કેમ આવ્યો? બ્રોકરેજ હાઉસો શું કહે છે?

દક્ષિણ ભારતની જાણીતી જ્વેલર્સ કંપની કલ્યાણ જ્વેલર્સના ભાવમાં શુક્રવારે તોતિંગ ઉછાળો આવ્યો હતો.NSE- BSE બંને પર શેરના ભાવ વધ્યા હતા. હજુ બ્રોકરેજ હાઉસોનું માનવું છે કે આ શેરમાં હજુ ઉપર જવાનો દમ છે.

કલ્યાણ જ્વેલર્સના શેરમાં આજે મોટી બ્લોક ડીલને કારણે માહોલ પોઝિટિવથઇ ગયો હતો અને તેને કારણે કલ્યાણ જ્વેલસર્સનો શેર BSEC પર ઇન્ટ્રા ડેમાં 18 ટકા ઉછળીને એક વર્ષની સૌથી ઉંચી સપાટી 135 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે એ પછી નફારૂપી વેચવાલીને કારણે ભાવ થોડો નીચો આવ્યો અને 131.65 રૂપિયા પર બંધ રહ્યો, છતા આગલા બંધથી 15.18 ટકાનો વધારો હતો. હવે આ શેર માટે બ્રોકરેજ હાઉસો શું કહે છે તે પણ જાણી લઇએ.

એક્સ્ચેન્જ  ઉપલબ્ધ આંકડા મુજબ શુક્રવારે NSE પર કલ્યાણ જ્વેલર્સના 6,41,02,561 ઇક્વિટી શેરોની બ્લોક ડીલમાં લેવડ-દેવડ થઇ હતી. જે કંપનીના લગભગ 6.2 ટકા હિસ્સેદારીના બરાબર છે. આ બ્લોક ડીલ માર્કેટ ખુલવા પહેલાં થઇ અને આ સોદો 725 કરોડ રૂપિયામાં થયો હતો. જો કે આ શેરો કોણે વેચ્યા અને કોણે ખરીદ્યા તેની માહિતી મળી શકી નથી.

કલ્યાણ જ્વેલર્સ માટે માર્ચ ત્રિમાસિક અપેક્ષાઓને અનુરૂપ હતું. માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 18 ટકા વધી હતી. ભારતીય બિઝનેસમાં તેનું ગ્રોસ માર્જિન 0.50 ટકાથી 15.7 ટકા સુધરી ગયું છે. દક્ષિણની બહાર તેનો બિઝનેસ હવે વધી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2022માં તેનો 34 ટકા હિસ્સો વધીને 39 ટકા થયો છે.

કંપનીએ માર્ચના ત્રિમાસિક ગાળામાં 38 ટકા નવા ગ્રાહકો જોડ્યા છે. હવે આગળની વાત કરીએ તો ફ્રેન્ચાઇઝી બિઝનેસને લઇને કંપનીની પ્રતિબદ્ધતા, કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટને લઇને સમજી-વિચારીને નિર્ણય લેવા અને દક્ષિણ ભારતની બહાર રોકાણ કરવાની યોજના કંપની બિઝનેસને સપોર્ટ  કરશે.કંપની આ નાણાકીય વર્ષ 2024માં તેના ગ્રોસ ડેબ્ટમાં રૂ. 300-400 કરોડનો ઘટાડો કરવાની અને દક્ષિણની બહાર 52 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. આ તમામ કારણોસર, બ્રોકરેજ ICICI સિક્યોરિટીઝે તેના પર રૂ. 160ની લક્ષ્ય કિંમત સાથે બાય રેટિંગ જાળવી રાખ્યું છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.