શું 10 મિનિટમાં ડિલિવરી કરનાર કંપની બંધ થઈ જશે? Zomatoનું નિવેદન સામે આવ્યું

ભારતમાં સ્ટાર્ટઅપ જગતમાં કંપનીઓ અથવા સાહસોનું શટડાઉન સામાન્ય બની ગયું છે. કંપનીઓ કાં તો પોતાની મેળે બંધ થઈ રહી છે અથવા તેમના ખોટમાં ચાલતા પોતાના કોઈપણ સાહસને તાળું લગાવી રહી છે. આ બધાની વચ્ચે, આજે સવારથી મીડિયામાં સમાચાર વહેતા થયા કે 10 મિનિટમાં ઓનલાઈન ઓર્ડર પર ફૂડ ડિલિવરી કરતી કંપની Zomato તેની એક્સક્લુઝિવ સર્વિસ ઈન્સ્ટન્ટને બંધ કરી રહી છે. પરંતુ ત્યાર પછી કંપનીએ પોતે આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે.

માહિતી આપતાં, Zomatoએ જણાવ્યું છે કે, Zomato, Zomato Instantને બંધ કરી રહ્યું નથી, પરંતુ તે તેને નવેસરથી રિબ્રાન્ડ કરવાની યોજના ધરાવે છે. અહીં તમને બતાવી દઈએ કે, Zomato ઇન્સ્ટન્ટ સર્વિસ હેઠળ, 10 મિનિટમાં ગ્રાહકને ફૂડ પહોંચાડવામાં આવે છે. માહિતી આપતા, કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીની હાલમાં આ સાહસને બંધ કરવાની કોઈ યોજના નથી.

કંપનીનું નિવેદન એવા અહેવાલો પછી આવ્યું છે કે, કંપની એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા બજારની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રજૂ કરેલી 'ઇન્સ્ટન્ટ' સેવાને બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે, કંપની ત્વરિત સેવા માટે નવા મેનુ પર કામ કરી રહી છે. પ્રવક્તાએ કહ્યું, 'ઇન્સ્ટન્ટ બંધ થઈ રહ્યું નથી. અમે અમારા ભાગીદારો સાથે નવા મેનૂ પર કામ કરી રહ્યા છીએ અને વ્યવસાયને રિબ્રાન્ડ કરી રહ્યા છીએ. આ નિર્ણયથી સેવા સાથે સંકળાયેલા કોઈપણને અસર થઈ નથી.' Zomatoએ ગયા વર્ષે માર્ચમાં 'ઈન્સ્ટન્ટ' સેવા રજૂ કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, Zomatoએ આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે કંપનીના CEO દીપેન્દ્ર ગોયલે એક LinkedIn પોસ્ટ દ્વારા કંપનીમાં 800 ખાલી જગ્યાઓ નીકળવાની જાહેરાત કરી હતી. આ ખાલી જગ્યાઓ ચીફ ઓફ સ્ટાફથી લઈને CEO, જનરલિસ્ટ, ગ્રોથ મેનેજર, પ્રોડક્ટ ઓનર અને સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર સુધીની છે. Zomato Instant ગયા વર્ષે માર્ચ 2022માં ગુરુગ્રામમાં ઝડપી ડિલિવરી માટે ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી આ સેવા બેંગ્લોરમાં પણ શરૂ કરવામાં આવી હતી. Zomato કંપની આ સેવા માટે ફિનિશિંગ સ્ટેશનનો ઉપયોગ કરી રહી હતી. જ્યાં એક વિસ્તારમાં 20-30 વખતથી વધુ ઓર્ડર કરાયેલી ખાદ્ય વસ્તુઓ રાખવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.