વડોદરાઃ દલિત વૃદ્ધનું મોત થયું હતું, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા

લાગે છે કે આઝાદીના 76 વર્ષ પછી પણ હજુ કેટલાંક લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો નથી. વડોદરામાં એક દલિતનું મોત થયું હતું, તેમના મોતનો મલજો પણ ન જળવાયો, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા અને આખરે દલિત વૃદ્ધના સ્મશાનથી થોડુ દુર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગામના સરપંચ સહિત 13 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરાકાષ્ઠા એ વાતની હતી કે ચડસાસડસીમાં મૃતદેહ 15 કલાક સુધી પડી રહ્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરાના પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામમાં રહેતા 68 વર્ષના દલિત કંચનભાઇ વણકરનું મોત થયું હતું. તેમની અંતિમ યાત્રામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રા ગામના એક સ્મશાનમાં પહોંચી હતી. તે વખતે ગામના સરપંચ નગીન પટેલની સાથે ગામના કેટલાંક લોકો સ્મશાને પહોંચી ગયા હતા અને કંચનભાઇ વણકરના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. ગામના લોકો અને વણકર પરિવાર વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને લગભગ 15 કલાક સુધી ચડભઢ ચાલી હતી.

 વિવાદમાં મોતનો મલાજો પણ જળવાયો અને શંકરભાઇના મૃતદેહને 15 કલાક પછી સ્મશાનની નજીકના વિસ્તારમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. એ વખતે તો અંતિમ સંસ્કારની પ્રક્રિયા પુરી કરીને વાત પતી ગઇ, પરંતુ એ પછી દલિત સમાજમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સરપંચ નગીન પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

 

જ્યારે અંતિમ સંસ્કાર કરવાની ગામના લોકો ના પાડી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી. સામાજિક વિવાદ હોવાને કારણે પોલીસે વિવેક બુદ્ધીનો ઉપયોગ કરીને ઉકેલ લાવવાની વિનંતી કરી હતી, પરંતુ ગામના લોકો કોઇ પણ રીતે  માનવામાં તૈયાર નહોતા અને તેમણે કોઇ પણ સંજોગોમાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવા અડગ રહ્યા હતા.

દલિત સમાજના  અગ્રણી ભરતભાઇ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગામમાં એક જ સ્મશાન છે, દલિત માટે કઇં અલગ સ્મશાન નથી, તો અંતિમ ક્રિયા અહીં જ કરવાની હોય ને.દલિસ સમાજના એક અગ્રણીએ આરોપ લગાવ્યો હતો કે, ગામનો લોકો મોટી સંખ્યામાં શસ્ત્રો લઇને સ્મશાનમાં આવ્યા હતા. આખરે ખુલ્લી જગ્યામાં શંકરભાઇ વણકરના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.