ગુજરાત: વરસાદના પાણી ઘરોમાં ભરાયા, લોકો ભૂખ્યા રહ્યા,વૃદ્ધ દિવ્યાંગ ફસાયા

ચોમાસાની સિઝનમાં આ વખતે વરસાદે એવી ધબડાટી બોલાવી છે કે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓ પાણીથી તરબોળ થઇ ગયા છે.અનેક વિસ્તારોમાં ઘરો સુધી પાણી ભરાઇ ગયા છે જેને કરાણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, તો કેટલાંક ગામડાઓનો સંપર્કો તુટી ગયા છે. આવી જ કઇંક સ્થિતિ ગોધરામાં જોવા મળી છે. તંત્રના પાપે લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્ય ગુજરાતમાં આવેલા ગોધરામાં શનિવારે બપોર પછી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગોધરાની અનેક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. રામેશ્વનર નગર સોસાયટીના લોકોએ મીડિયા સમક્ષ તેમની વેદના ઠાલવતા કહ્યું હતું કે, આખી રાત અમે પાણીમાં વિતાવી છે અને ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છીએ. એક વૃદ્ધ દિવ્યાંગની હાલત કફોડી બની છે અને તેમણે પલંગ પર  બેસી રહેવું પડ્યું છે અને પરિવારના લોકો પણ આજુબાજુ  પાણીમાં બેસી રહ્યા છે. આવી જ સ્થિતિ અન્ય સોસાયટીઓની છે જ્યાં વરસાદના પાણી ભરાયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લાં 20 વર્ષથી આવી મુશ્કેલીઓ સાથે અમે જીવી રહ્યા છે, પરંતુ અમારું કોઇ સાંભળતું નથી. વરસાદની સિઝન શરૂ થાય એટલે  થોડો વધારે વરસાદ પડતાની સાથે જ અમારા ઘરોમાં પાણી ભરાઇ જાય છે. પાણી તો ઘરમાં આવી જાય, પરંતુ સાથે સાથે વીજળી પણ ચાલી જાય, એવી સ્થિતિમાં અંધારામાં અમે જીવીએ છીએ.

લોકોએ કહ્યું કે, ગઇકાલે જ નજીકના એક તળાવમાંથી મોટો મગર બહાર આવ્યો હતો એટલે લોકોના જીવ પડીકે બંધાયા હતા. અમારે ડોલે ડોલે પાણીને આખી રાત બહાર કાઢતા રહેવું પડે છે અને વરસાદ બંધ થાય પછી અમને રાહત મળે છે.

લોકોએ કહ્યુ કે રામેશ્વર નગર સોસાયટીનો જે વિસ્તાર છે તે નીચાણવાળો છે,જ્યાં ભુરાવાવ ચોકડીના તમામ સોસાયટીનું પાણી અહીં આ વિસ્તારમાં આવે છે.બાજુમાં લીંબા તળાવ આવેલું છે જ્યાં પાણીનો નિકાલ થાય તેમ છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીના લીધે આજે અમારો વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે.

ગોધરાના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ગોધરાના ખાડી વિસ્તારમાં લોકોની સમસ્યા સાંભળવા ગયા હતા. લોકોએ તેમની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, ગોધરા નગર પાલિકા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરતી નથી. ચાવડાએ લોકોને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.