અમદાવાદમાં લોકોએ ભાજપના કોર્પોરેટરને કારમાંથી ઉતારી જાહેરમાં માર્યા

અમદાવાદના નિકોલ વોર્ડના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટર બળદેવ પટેલને શુક્રવારે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે TP સ્કીમના અમલીકરણ અંગે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટર બળદેવ પટેલને સારવાર માટે કાકડિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પાછળથી પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ હૉસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોએ પોતાનાં ઘર રોડની કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઠાલવ્યો હોવાની લોકમાં ચર્ચા ચાલી રહી છે. ઇજાગ્રસ્ત કોર્પોરેટર બળદેવ પટેલને સારવાર માટે કાકડિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને ધ્રસ્કોઇના ધારાસભ્ય બાબુ પટેલ તાત્કાલિક હૉસ્પિટલ દોડી ગયા હતા.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે એક અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, TP સ્કીમના રોડના અમલીકરણ બાબતે સવારે તેઓ ધ્રસ્કોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા અને ત્યાં સમજાવટ બાદ ઘરે પરત ગયા હતા. ઘર પાસે લોકોએ તેમને ફરીથી બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં મારામારી કરવામાં આવી હતી. હાલમાં કોર્પોરેટરને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે બળદેવ પટેલે જણાવ્યું હતું કે, આજે TP સ્કીમની રોડ કપાત મામલે સ્થાનિક લોકો ધારાસભ્ય બાબુ પટેલની ઓફિસે ગયા હતા. જ્યાં તેમને સમજાવ્યા હતા કે, જ્યારે ફાઇનલ TP થશે, ત્યારે જોઇશું.

જો તમે કહેશો તો મકાન તૂટશે નહીં તો જ્યારે ફાઇનલ TP થાય ત્યારે નિર્ણય લઇશું. સમજાવટ બાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા અને જ્યારે હું ઘરે પહોંચ્યો, ત્યારે મારી સોસાયટી જલતરંગ વિભાગ એકની બહાર જ પાંચેક લોકોનું ટોળું ઊભું હતું. જેવો ગાડીની બહાર આવ્યો ત્યારે મને લોકોએ માર માર્યો હતો. હુમલો કરનારા લોકોમાંથી હું એક માત્ર બટુકસિંહ નામના વ્યક્તિને ઓળખું છું. ઉલ્લેખનીય છે કે અગાઉ ધારાસભ્ય બાબુ જમના પટેલની ઓફિસમાં TP સ્કિમના અમલીકરણ માટે બેઠક થઇ હતી. ત્યારબાદ લોકોએ વિરોધ કરતા મામલો ઉગ્ર થયો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસે ઘટાનાને વખોડી હતી.

તેમજ જનતાના આક્રોશને લઇ ભાજપની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારે બિલ્ડરોની બદલે જનતાનું હિત જોવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીને જમણા હાથે, મોઢાના તેમજ બરડાના ભાગે ઇજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કૃષ્ણનગર પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે બટુકસિંહ સહિત 6 લોકોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.