પાવાગઢમાં માતાના ભક્તોએ શ્રીફળ વધેરવાના પ્રતિબંધ વચ્ચે વચલો રસ્તો શોધી કાઢ્યો

ગુજરાતના વડાદોરથી લગભગ 55 કિ.મી દુર આવેલા પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરમાં શ્રીફળ વધેરવાના વિવાદ વચ્ચે માતાના ભક્તોએ વચલો રસ્તો શોધી કાઢ્યો છે. મંદિરના ટ્રસ્ટે તાજેતરમાં જ છોલેલા શ્રીફળ લઇને મંદિરમાં આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. શ્રીફળ વધેરવા માટેનું સ્ટેન્ડ બંધ કરી દેવાતા ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરી દીધા હતા. જાણે, ભક્તો એમ કહી રહ્યા છે કે અમને તો કોઇ પ્રતિબંધ નડતો નથી.

બનાસકાંઠામાં આવેલા મા અંબાના મંદિર અંબાજીમાં મોહનથાળ અને ચીકીનો વિવાદ ઉભો થયાના થોડા દિવસો બાદ પાવાગઢમાં પણ છોલેલા નારિયળ પર પ્રતિબંધ મુકાતા વિવાદ શરૂ થયો હતો. હવે 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો હતો અને માતાના ભક્તો મોટી સંખ્યામાં ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરવા માટે આવતા હોય છે. મહાકાળી માતાના મંદિરે દર્શન કરવાથી મનોકામના પુરી થાય છે એવી માન્યતા છે અને લોકો બાધા પણ રાખે છે. મહાકાળી મંદિરના ટ્રસ્ટે છોલેલા નારિયેળ પર પ્રતિબંધ મુક્યો અને તેનો અમલ પણ શરૂ થઇ ગયો હતો. તો માતાના ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરીને વચલો રસ્તો શોધી કાઢ્યો હતો.

શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે નારિયેળને છોલવા માટે મશીનો પણ મુક્યા હતા, પરંતુ ભક્તોને મશીનમાં કોઇ રસ દેખાતો નહોતો.મશીન તો શોભાના ગાંઠીયા બનીને રહી ગયું હતું અને ભક્તોતો છોલેલું શ્રીફળ જ ખરીદી રહ્યા છે. માતાના ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા હોવાથી ગંદકીના ઢગ ખડકાયા છે. મંદિરના ટ્રસ્ટે આ જ કારણે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુક્યો હતો કે શ્રીફળના છોડા અને કાચલાના કારણે મંદિરમાં ગંદકી વધારે રહેતી હતી. પાવાગઢમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ સેંકડો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ નવરાત્રીના પવિત્ર તહેવાર વખતે તો મંદિરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી એવા સમયે ટ્રસ્ટ માટે પણ ભક્તો પર અંકુશ મુકવો મુશ્કેલ છે.

પાવાગઢની વાત કરીએ તો વડોદરાથી લગભગ 55  કિ.મી દુર આવેલું છે અને ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક એક ડુંગર છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર હોવાને કારણે રાજ્યના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ બની ગયું છે. પાવાગઢની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલા ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. ચૈત્રી નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીમાં મહાકાળી માતાના મંદિરમાં હકડેઠઠ ભીડ રહે છે. પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.