અમદાવાદની બીલ્ડિંગમાં સાતમા માળે ભીષણ આગ, 15 વર્ષની પ્રાંજલ ન નીકળી શકી, મોત

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. અહીં એક ઇમારતના સાતમા માળે ભીષણ આગ લાગી ગઇ છે. આ અકસ્માતમાં એક 15 વર્ષીય તરુણીનું મોત થઇ ગયું અને ઘણા લોકો ફસાયેલા છે. આ દરમિયાન કેટલાક લોકો જીવ બચાવવા માટેની વિનંતી કરતા નજરે પડ્યા. અકસ્માતની જાણકારી મળતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આગમાં સળગીને જે 16 વર્ષીય તરુણીનું મોત થઇ ગયું. તેના પરિવારના અન્ય સભ્યો ઘર પર નહોતા. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કયા કારણે આગ લાગી. ઉપરના માળમાં કેટલાક લોકો ફસાયેલા છે. આ દરમિયાન માળમાં લાગેલી ભીષણ આગના કેટલાક વીડિયો વાયરલ થયા છે. સાતમા માળની ગેલેરી પર આગની ઝપેટો વચ્ચે કોઇ ફસાયેલું નજરે પડી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયર વિભાગને ફોન કોલ મળ્યો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે.

ફાયર વિભાગના રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ઘરમાં રહેલા પરિવારના 5માંથી 4 સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઇ ગઇ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી.

ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની તરુણીને બહાર કાઢી હતી. આગને કારણે દાઝી ગયેલી તરુણીને બચાવી ફાયરબ્રિગેડે સારવાર માટે હૉસ્પિટલમાં પહોંચાડી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી પ્રાંજલનું મોત થઇ ગયું. આગ કયા કારણે લાગી એ હજુ અકબંધ છે.

અઠવાડિયા અગાઉ અમદાવાદમાં નારણપુરા વિસ્તારની મોદી આંખની હૉસ્પિટલમાં લાગેલી આગમાં 2 લોકોના મોત થઇ ગયા હતા. હૉસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોના મોત થઇ ગયા હતા. આ ઘટનામાં પણ હૉસ્પિટલમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નહોતું. હૉસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા બંધ હતા. મૂળ રાજસ્થાનનું વતની દંપતી આગમાં ગૂંગળામણ થવાના કારણે મોતને ભેટ્યું હતું. આ દંપતી હૉસ્પિટલની દેખરેખ રાખવાનું કામ કરતું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.