આદિવાસી પંરપરાથી અજાણ ગુજરાતના મંત્રી ચરણામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પી ગયા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી ગુજરાતના એક મંત્રીની રમૂજી વાત સામે આવી છે. આદિવાસી દિવસની ઉજવણી કરવા ગયેલા મંત્રી આદિવાસી પરંપરાથી અજાણ હતા અને ધરતી માતા માટે ચઢાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. જો કે, ભુલથી આ વાત બની હોવાનું તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આદિવાસીઓ તેમની પરંપરા પાળવા માટે દેશી દારૂનો ઉપયોગ કરે છે.

આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતા અને અહીં પુજા વિધી રાખવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વર્ષોથી પરંપરા છે કે પૂજા વિધી પત્યા પછી ધરતી માતાને દેશી દારૂનો અભિષેક કરવાનો હોય છે. મંત્રી રાઘવજી પટેલને પૂજારીએ લીલા પાંડદામાં દેશી દારૂ મુકીને આપ્યો. રાઘવજી પટેલને આદિવાસી પરંપરા વિશે કોઇ જાણકારી નહોતી, એમણે પંચામૃત સમજીને દેશી દારૂને હાથમાં લીધો. આપણે જેમ પંચામૃત લીધા પછી માથે હાથ ફેરવીએ તેમ રાઘવજી પટેલે પણ માથે હાથ ફેરવી દીધો હતો.

પરંતુ એ પછી ખ્યાલ આવ્યો કે આ તો પંચામૃત નથી દેશી દારૂ છે. આ આખી ઘટનાનો વીડિયો ઉતરી ગયો હતો.

આદિવાસી દિવસની ઉજવણી પછી મીડિયા સાથે વાત કરતા કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અમારે ત્યાં ચરણામૃત હોય તેને હાથમાં આપવામાં આવે છે. આદિવાસીઓની પરંપરા વિશે મને બિલકુલ જાણકારી નહોતી એટલે પંચામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પિવાઇ ગયો. હકિકતમાં આદિવાસીઓ દેશી દારૂ ધરતી માતાને અર્પણ કરે છે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા પાછળનો આશય એવો હતો કે આદિવાસી તેમના પ્રશ્નોથી વાકેફ રહે અને તેમના ગૌરવ અને રક્ષણ જળવાઇ રહે. આદિવાસીઓના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસી સ્વાતંત્રય સેનાની બિરસામુંડાએ બિહાર- ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. લગાન માફ કરવા માટે પણ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી.

એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથના પવિત્ર મંદિરને બચાવવા માટે વેગડા ભીલે મદદ કરીને શહીદી વહોરી હતી એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપને પણ આદિવાસી સમાજના મદદ મળી હતી. એવું પણ કહેવાય છે કે ભગવાન રામને લંકા વિજય દરમિયાન ગુજરાતના ડાંગમાં રાજાઓને રોકવામાં આદિવાસીઓનો મોટો ફાળો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.