વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, લારીઓમાં તોડફોડ. જુઓ વીડિયો

ગુરુવારે રામનવમીના પવિત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે વડોદરામાં નિકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને લારીઓની તોડફોડની ઘટનાને કારણે માહોલ ડહોળાયો છે. ધાર્મિક યાત્રા દરમિયાન પથ્થરમારો થવાને કારણે બજારોની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ વડોદરાના ફતેપુરામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્રારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિંદુ સંગઠનોના કાર્યકરો બાઇક પર નિકળ્યા હતા અને વાજતે ગાજતે શોભાયાત્રા ફતેપુરાના પાંજરીગર વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો જેને કારણે દોડધામ થઇ ગઇ હતી.

લારીઓની તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે વાતનું વેતસર થાય તે પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કંટ્રોલમાં કરી લીધી હતી.

વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારી રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પસાર થઇ હતી ત્યારે પાંજરીગર વિસ્તારમાંથી કાંકરીચાળો કરવામાં આવ્યો હતો અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. VHP નેતાઓએ ચિમકી આપતા કહ્યું હતું કે જો અમારી સંસ્થાના કોઇ પણ કાર્યકરની ધરપકડ કરવામાં આવશે તો વડોદરાને ભડકે બાળીશું.

વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રીનો તહેવાર અને તેની સાથે રમઝાન માસની ઉજવણી પણ ચાલી રહી છે ત્યારે પોલીસે બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી અને શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. એ પછી પોલીસે રાત્રે ફુટ પેટ્રોલિંગ પણ કર્યુ હતું. છતા ગુરુવારે જ્યારે રામનવમીની શોભાયાત્રા નિકળી તો પથ્થરમારા થવાનો બનાવ બન્યો.

જો કે સારી વાત એ છે કે પોલીસે સમયસર મામલો સંભાળી લીધો છે અને કોમી છમકલું થતા અટકાવી દીધું છે. જો કે રામનમવીની શોભાયાત્રા પર પથ્થરામારાની વાત વાયુવેગે પ્રસરી જતા વડોદરામાં ટેન્શનનો માહોલ ઉભો થયો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.