તથ્ય પટેલે માત્ર ઇસ્કોન બ્રીજ પર જ નહીં, આ પહેલા પણ બે વખત ગાડી ઠોકી છે હવે...

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બેફામ કાર હંકારીને 9 લોકોની જિંદગી વેરણ છેરણ કરી નાંખનાર તથ્ય પટેલની ધરપકડ બાદ પોલીસને તથ્ય પટેલના અન્ય કારસ્તાન જાણવા મળી રહ્યા છે. બાપના પૈસા તાગડ ધિન્ના કરનારા 19 વર્ષના તથ્ય પટેલે  માત્ર ઇસ્તોન બ્રીજ પર પહેલીવાર જ અકસ્માત કર્યો છે એવું નથી, પરંતુ આ પહેલાં પણ તેણે બે વખતે તેની કાર અન્ય જગ્યાએ ઠોકી હતી.

તથ્ય પટેલે ઓવર સ્પીડ કાર ચલાવીને ગાંધીનગરના એક મંદિરમાં અને હજુ તો 15 દિવસ પહેલાં જ એક રેસ્ટોરન્ટની દીવાલ સાથે કાર ઠોકી નાંખી હતી. પોલીસે હવે આ બંને અકસ્માતના પણ ગુના નોંધી દીધા છે.તથ્ય પટેલના એક પછી એક બહાર આવી રહેલાં કારનામા જોતા પોલીસ પણ ચોંકી ગઇ છે.

જાણવા મળેલી માહિતી પ્રમણા તથ્ય પટેલે 1 જાન્યુઆરી 2023ના દિવસે વાંસજડા ગામની ભાગોળે સાણંદ તરફ જતા રોડ ઉપર આવેલ બળિયાદેવ મંદિરની આગળની સાઇડના એક પિલરમાં કાર ઘુસાડી દીધી હતી. તે વખતે પણ તથ્ય પટેલ જેગુઆર કાર જ ચલાવતો હતો. તથ્ય પટેલે મંદિરના ભાગને લગભગ 20,000 રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું.

કલોલ વાંસજડા પૂર્વ ગામના મણાજી પ્રતાપજી ઠાકોર ગામના સરપંચે હવે સાતેજ પોલીસ સ્ટેશનનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. મણાજી ઠાકોરે કહ્યુ કે, જ્યારે 1લી જાન્યુઆરી 2023ના દિવસે  બળિયાદેવ મંદિરમાં વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે એક કાર ઘુસી ગઇ હતી તે વખતે તેમની પાસે કારનો નંબર કે કાર ચલાવનાર વિશે કોઇ માહિતી નહોતી એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ જ્યારે તથ્ય પટેલના મિત્રોએ પોલીસને બળિયાદેવ મંદિરમાં તથ્ય પટેલે કાર ઠોકી દીધી હતી તેવું નિવેદન આપ્યું ત્યારે ખબર પડી કે એ તથ્ય પટેલ જ હતો. પોલીસનું માનવું છે કે 31 ડિસેમ્બરે ન્યૂ યરની ઉજવણી કરીને તથ્ય પટેલ પાછો ફર્યો હશે ત્યારે આ અકસ્માત કર્યો હોવો જોઇએ.

બીજા અકસ્માતની વાત કરીએ તો હજુ પંદરેક દિવસ પહેલાં જ  અમદાવાદના સિંધુ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટની દિવાલ તુટી ગઇ હતી. તથ્ય પટેલ 0093 નંબરની થાર કાર ચલાવતો હતો અને કાર પર કાબુ ગુમાવી દેતા રેસ્ટોરન્ટની દિવાલમાં કાર ઘુસાડી દીધી હતી પછી તથ્ય પટેલ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઇસ્કોન બ્રીજની ઘટના બાદ આ રેસ્ટોરન્ટના અકસ્માતના વીડિયો સામે આવ્યા બાદ હવે એ ઘટનામાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

અને 20 જુલાઇએ તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના જીવ લઇ લીધા હતા.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.