રથયાત્રા સમયે આ મુસ્લિમે એવું કામ કર્યું હતું કે, પોલીસે તેમનું સન્માન કર્યું

અમદાવાદના રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રામાં સામેલ છે. તાજેતરમાં અમદાવાદમાં 146મી રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. રથયાત્રા દરમિયાન શાહપુર વિસ્તારમાં રહેતા સલીખ શેખે સહયોગનું એક અનોખેં ઉદાહરણ પુરુ પાડ્યું હતું. સલીમ શેખે રથયાત્રાની વ્યવસ્થામાં ખેલલ ન પડે તેના માટે પોતાની પત્નીના અંતિમ સસ્કાર રોકી દીધા હતા.

ગુજરાતના અમદાવાદમાં છેલ્લાં 145 વર્ષથી રથયાત્રા નિકળે છે અને રથયાત્રાના સફળ બનાવવા માટે ગુજરાત પોલીસ મહિનાઓથી મહેનત કરતી હોય છે. તાજેતરમાં પણ અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિથી અને ઉત્સાહથી નિકળી હતી. રથયાત્રામાં બધા ધર્મના લોકોનો સહયોગ જોવા મળ્યો. પરંતુ અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા સલીન શેખે સહયોગનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું. તેમના આ સહયોગની પ્રસંશા થઇ રહી છે અને અમદાવાદ પોલીસે સલીમ શેખને બોલાવીને તેમનું  સન્માન કર્યું છે.

શાહપુરમાં રહેતા સલીમ શેખની પત્નીએ રથયાત્રાના દિવસે જ અંતિમ શ્વાસ લીઘા હતા. સલીમ શેખ જે વિસ્તારમાં રહે છે ત્યાંથી રથયાત્રા પસાર થવાની હતી. પત્નીના નિધન પછી સલીમ શેખ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને કહ્યુ હતું કે પત્નીનો મૃતદેહને ઘરે લઇ જવાનો છે અને ઘરેથી પછી કબ્રસ્તાન લઇ જવાનો છે. પોલીસે રથયાત્રા વચ્ચે માર્ગ કાઢીને સલીમની પત્નીનો મૃતદેહ ઘર સુધી પહોંચાડી દીધો હતો. પોલીસે સલીમ શેખને પુછ્યું કે દફન વિધી માટે ક્યારે લઇ જવાના છો? તો સલીમ શેખે કહ્યુ હતું કે આજે રથયાત્રાનો પવિત્ર પર્વ છે અને રથયાત્રા મારા ઘર પાસેથી જ પસાર થવાની છે, એટલે રથયાત્રા પસરા થયા પછી જ દફન વિધી માટે લઇ જઇશું.

સલીમ શેખે પોલીસ સાથે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે જ કર્યું, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા તેમના ઘરના દરવાજા પાસેથી પસાર થઇ એ પછી તેઓ સ્વજનો સાથે પત્નીનો મૃતદેહ કબ્રસ્તાન લઇ ગયા હતા.

અમદાવાદ પોલીસે રથયાત્રાના સંવેદનશીલ પ્રસંગે ભાઈચારાનો દાખલો બેસાડનાર સલીમ શેખનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે સલીમ શેખની ભાવના અને સહકારની પ્રશંસા કરી હતી.

કદાચ કોઇકને આ વાત નાનકડી લાગે, પરંતુ ભાઇચારો અને કોમી એકતા જાળવવામાં આવી નાની નાની વાતો મોટું મહત્ત્વ દર્શાવતી હોય છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.