ફીના રૂપિયા ન હતા, વડોદરામાં 2 દીકરીઓની હત્યા બાદ ડિવોર્સી માતાનો આપઘાતનો પ્રયાસ

વડોદરામાં એક જનેતાએ જ પોતાની બે દીકરીઓની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. વડોદરાના કારેલીબાગમાં અક્ષતા સોસાયટીમાં રહેતી એક માતાએ પોતાની બે દીકરીઓને ઝેર આપીને તેમની હત્યા કરી હતી. બાદમાં પોતે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને દીકરીઓના મોત નીપજ્યા છે. જ્યારે, મહિલાને મકાન માલિકે ગળાફાંસો ખાતી વખતે જોઈ લેતા તેને બચાવી લીધી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં દક્ષા બેન પોતાની બે દીકરીઓ સાથે રહે છે. દક્ષાબેન ચૌહાણ પતિથી ડિવોર્સ લીધા બાદ દીકરીઓ સાથે એકલા રહે છે. તેમણે પોતાની બંને દીકરીઓને ઝેર આપી તેમની હત્યા કરી હતી. દક્ષાબેનની મોટી દીકરી હની ચૌહાણ TYB.Comમાં અભ્યાસ કરતી હતી જ્યારે નાની દીકરી શાલિની 9માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. દક્ષાબેને 20 દિવસ પહેલા જ આ મકાન ભાડે રાખ્યું હતું અને આર્થિક સંકડામણને પગલે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે માહિતી આપતા ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આર્થિક સંકડામણના પગલે દક્ષા બેને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દક્ષા બેન ચૌહાણે ઘરનું ભાડું તેમજ દીકરીના ટ્યૂશનની 22000 રૂપિયાની ફી ના ભરી શકવાને કારણે સામુહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો. દક્ષા ચૌહાણે પહેલા બંને દીકરીઓને ઝેરી દવા આપી, બાદમાં ગળે ટૂંપો આપી તે બંનેની હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ઝેરી દવા ખાઈ ગળાફાંસો ખાવાની તૈયારી કરતા હતા તે સમયે મકાન માલિકે આવીને તેને બચાવી લીધી હતી. સાથે જ, દક્ષા ચૌહાણે લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી છે.

પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, દક્ષા ચૌહાણ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. ઘટના અંગે દક્ષા ચૌહાણની બહેન નીલમે જણાવ્યું હતું કે, દક્ષાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, છેલ્લાં ઘણા સમયથી તે એકલી બે દીકરીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. દક્ષાને બે દીકરીઓ થતા પતિ અશોક ચૌહાણે તેને તરછોડી દીધી હતી. ઘણા વર્ષોથી દક્ષા પોતાની બંને દીકરીઓનો એકલા હાથે ઉછેર કરી રહી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.