ગુજરાતમાં કોરોનાના 133 નવા કેસ, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ

ગુજરાતમાં ફરી એક વખત કોરોના માથું ઊંચકી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના લક્ષણવાળા ફ્લૂએ પણ જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, શનિવારે રાજ્યમાં કોરોનાના 179 કેસ નોંધાયા હતા. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 133 નવા કેસ નોંધાયા છે. જ્યારે 48 દર્દીઓ સારા થયા છે અને હાલમાં 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 740 એક્ટિવ કેસ છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 735 દર્દીઓ હાલ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોના મોત થયા છે. કોરોના કેસને લઇને જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહેસાણામાં 16, સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 6, ભરૂચ, વલસાડ, ભાવનગર, ગાંધીનગરમાં 3-3, પોરબંદરમાં 2, જ્યારે અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મહીસાગરમાં, મોરબીમાં અને સુરેન્દ્રનગરમાં પણ 1-1 કોરોનાના નવા કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. રવિવારે મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 68 પર આવી પહોંચ્યો છે. હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે સતત ચોથા દિવસે કોરોના ઝડપથી વધી રહ્યો છે. જેમાં રવિવારે એક જ દિવસમાં 16 કેસ સામે આવ્યા હતા, જેમાંથી મહેસાણા શહેરમાં 2, ગ્રામ્ય વિસ્તારોમાં 3, કડી શહેરમાં 2 અને ગામડાઓમાં 5, બેચરાજી તાલુકામાં, વિજાપુર શહેરમાં, ગામડાઓમાં, ખેરાલુ તાલુકામાં 1-1 મળી નવા 16 કેસ નોંધાયા હતા. જિલ્લામાં રવિવારે નવા 441 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લામાં આજે સિઝનલ ફ્લૂના એક દર્દીને રજા આપી દેવાઈ છે.

તો બીજી બાજુ સિઝનલ ફ્લૂનું વધુ એક સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરના રામદેવનગર, હરણી, સમા, ભાયલી અને સુભાનપુરા વિસ્તારમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. કુલ 270 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલમાં 20 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો 3 દર્દીઓને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં શનિવારે 13 કેસ પોઝિટિવ નોંધાયા બાદ આજે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં-9, 14 અને 8માંથી કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જેમાં 3 દર્દીએ વેક્સીનના 3 ડોઝ અને 3 દર્દીએ વેક્સીનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. તેમાંથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.