80% ઉછાળો, નવા વેરિયન્ટની એન્ટ્રી, દુનિયામાં ફરી કોરોનાની ગર્જના, ભારત માટે પણ..

કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા દર્શાવે છે કે, વિશ્વભરમાં કોવિડ-19 કેસમાં 80 ટકાનો વધારો થયો છે. નવા પ્રકારને EG.5 અથવા 'Aris' તરીકે ઓળખવામાં આવે છે. તે XBB.1.9.2 નામના ઓમિક્રોન સબવેરિયન્ટથી સંબંધિત છે અને વૈશ્વિક સ્તરે વધી રહ્યું છે. જેના કારણે UK, ચીન અને અમેરિકા સહિત અન્ય દેશો પ્રભાવિત થયા છે.

UN એજન્સીએ જણાવ્યું હતું કે, તેણે 10 જુલાઈથી 6 ઓગસ્ટ સુધીમાં લગભગ 1.5 મિલિયન નવા કેસ નોંધ્યા છે, જે પાછલા 28 દિવસો કરતાં 80 ટકા વધારે છે. જોકે મૃત્યુની સંખ્યા 57 ટકા ઘટીને 2,500 થઈ ગઈ છે. WHOએ ચેતવણી આપી છે કે, નોંધાયેલા કેસ અને મૃત્યુની સંખ્યા ચોક્કસ નથી. ઘણા દેશોમાં રોગચાળાના પ્રથમ તબક્કાની તુલનામાં ઓછા પરીક્ષણ અને દેખરેખ કરવામાં આવી છે. WHOએ કહ્યું કે ઘણા નવા કેસ પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાંથી આવ્યા છે, જેમાં ચેપમાં 137 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

WHOના ડેટા અનુસાર કોરિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને ઇટાલીમાંથી સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે, બ્રાઝિલ, કોરિયા, રશિયા, પેરુ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જાપાન જેવા ઘણા દેશોમાં તાજેતરના અઠવાડિયામાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. COVID-19 માટે આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી 5 મે 2023ના રોજ હટાવવામાં આવી હતી, પરંતુ તે એક મોટો ખતરો બની રહ્યો છે.

અત્યાર સુધીમાં, ભારતમાં EG.5.1 વેરિઅન્ટનો માત્ર એક જ કેસ નોંધાયો છે, જેની ઓળખ મે 2023માં પુણેમાં થઈ હતી. જો કે, નિષ્ણાતો કહે છે કે WHOએ આ વર્ષે 19 જુલાઈએ EG.5.1ને દેખરેખ હેઠળના એક પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું છે. પરંતુ આ સમયે ગભરાવાની જરૂર નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં શનિવારે 38 તાજા COVID-19 કેસની એક જ દિવસમાં વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે સક્રિય કેસ ઘટીને 1,487 થઈ ગયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા મુજબ કુલ મૃત્યુઆંક 5,31,920 નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.