કેસ વધતા આ રાજ્યમાં માસ્ક પહેરવા ફરજિયાત થયા

ભલે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કેટલાક રાજ્યોની સરકાર કોરોના વાયરસને લઇને ખૂબ સાવધાની રાખી રહી છે. સોમવારે કેરળ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે. એ સિવાય આ આદેશમાં દુકાનો, થિયેટરો અને કોઇ પણ કાર્યક્રમના આયોજકોને અનિવાર્ય રૂપે સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પણ પાલન કરવામાં આવશે.

આ અગાઉ રાજ્ય સરકારે 12 જાન્યુઆરીના રોજ પોતાના આદેશમાં રાજ્યમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે પ્રભાવી ઉપાય કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. દેશના બધા રાજ્યોની તુલનામાં કેરળમાં કોરોના વાયરસના સક્રિય કેસ સૌથી વધુ છે. ત્યારબાદ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં કેસ સક્રિય છે. ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરી 2023ની સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 2,149 હતી.

ભારતના કેરળમાં 1,303 કેસ સક્રિય છે, જ્યારે કર્ણાટકમાં સક્રિય કેસોની સંખ્યા 146 છે. એ જ પ્રકારે મહારાષ્ટ્રમાં 139, ઓરિસ્સામાં 87, પૂડુચેરીમાં 76, તેલંગાણામાં 41, ઉત્તરખંડમાં 18, ઉત્તર પ્રદેશમાં 18, પશ્ચિમ બંગાળમાં 55, રાજસ્થાનમાં 6 કેસ સક્રિય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે આપવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં 114 નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. તેની સાથે જ 24 કલાકની અવધિમાં સક્રિય કેસોમાં 30નો ઘટાડો નોંધાયો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી છે. દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નહોતો અને ન તો તેના કારણે કોઇનું મોત થયું છે. અહીં સંક્રમણ દર 0.00 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં કોરોનાની શરૂઆત બાદ પહેલી વખત એમ થયું છે કે એક પણ કેસ આવ્યો નથી. જ્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 931 કોરોનાના ટેસ્ટ થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, ચીનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1,08,55,369 પહોંચી ગઇ છે, જ્યારે અત્યાર સુધી 33,698 લોકોના મોત થઇ ચૂક્યા છે. ચીને છેલ્લા 7 દિવસ દરમિયાન 1,23,107 લોકોમાં સંક્રમણની જાણકારી આપી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.