ચીને જાણીજોઈને ફેલાવ્યો કોરોના,બાયોવેપન તરીકે કર્યો ઉપયોગઃચીનના રિસર્ચરનો ખુલાસો

ચીનના વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિસર્ચરે દાવો કર્યો છે કે, ચીને જાણીજોઇને સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ ફેલાવ્યો. કોવિડ-19નો જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો. જેથી લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્વારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા જૈવિક આતંકવાદનો હિસ્સો હતો. રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું કે, તેના સાથીઓને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, જાણકારી મેળવો કે કયો સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર જેંગને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહી. જેનિફર ચીનમાં પેદા થયેલા માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.

26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું કે, કઇ રીતે તેના સાથી રિસર્ચરને તેના સુપીરિયરને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા. કહ્યું કે, ટેસ્ટ કરીને જણાવો કે આ ચારેયમાંથી કયા સ્ટ્રેનમાં ફેલાવાની ક્ષમતા વધુ છે. કયા સ્ટ્રેનથી વધુ પ્રજાતિઓને સંક્રમિત કરી શકે છે. આ પણ જાણકારી મેળવો કે તે વ્યક્તિને કેટલી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું કે, ચીન કોરોના વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

ચાઓએ જણાવ્યું કે, તેના ઘણા સાથી 2019થી ગૂમ છે. તે સમયે વુહાનમાં મિલિટ્રી વર્લ્ડ ગેમ્સ થઈ હતી. બાદમાં તેના સાથીઓમાંથી એકે ખુલાસો કર્યો કે તેને એ હોટેલોમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં બીજા દેશોના એથલીટ્સ રોકાયા હતા. જેથી, તેમના સ્વાસ્થ્ય અને હાઇજીનનું ધ્યાન રાખી શકાય. પરંતુ, વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક નથી કરતા. ચાઓ શાઓ કહે છે કે, તેને આશંકા છે કે, તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા મોકલવામાં આવ્યા હતા.

એપ્રિલ 2020માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા હતા જેથી, જેલોમાં બંધ ઉઇગરોના સ્વાસ્થ્યની તપાસ કરાવી શકાય. સાથે જ તેના રી-એજ્યુકેશન કેપ્સની તપાસ થઈ શકે. સ્વાસ્થ્ય તપાસ  બાદ તેને વહેલા આઝાદ કરી શકાય. વાયરસની સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોના સ્વાસ્થ્યની તપાસનું કામ આપવું ક્યાંથી યોગ્ય છે. ચાઓને લાગે છે કે, તેને માત્ર એ જોવા મોકલવામાં આવ્યા હતા કે વાયરસ ફેલાઇ રહ્યો છે કે નહીં. અથવા પછી તેના દ્વારા વાયરસ ફેલાવવામાં આવ્યો.

ચાઓ શાઓએ કહ્યું કે, ચીને જે કર્યું અને જે તે જણાવી રહ્યા છે તે મોટી પહેલીનો નાનકડો હિસ્સો છે. આ મહામારીએ સમગ્ર દુનિયામાં 70 લાખ કરતા વધુ લોકોને મારી નાંખ્યા. આશ્ચર્યની વાત એ છે કે, તેના પર હજુ પણ તપાસ થઈ રહી છે. વૈજ્ઞાનિક દવાઓ અને વેક્સીન શોધી રહ્યા છે. તેની અસ્થાઈ સારવાર શોધી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.