ચીનમાં દર અઠવાડિયે આવશે કોરોનાના 6.5 કરોડ કેસઃ વૈજ્ઞાનિકનો દાવો

કોરોનાની વધતી સ્પીડ ફરી એકવાર દુનિયાને ડરાવવા માંડી છે. ચીનમાં કોરોનાના વધતા મામલાઓએ દુનિયાને વિચારવા પર મજબૂર કરી દીધી છે. ચીનમાં કોરોના વાયરના મામલાઓમાં વધારાએ ફરી એકવાર દુનિયાને ડરાવી દીધી છે. શાંઘાઈમાં હુઆશન હોસ્પિટલમાં સંક્રામક રોગોના કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર ઝાંગ વેનહોંગે કહ્યું છે કે, ચીને વહેલામાં વહેલી તકે કોરોનાને અટકાવવા માટે જરૂરી ઉપાય કરવાના શરૂ કરી દેવા જોઈએ. એપ્રિલ મહિનાથી જ ચીનમાં સતત કોરોના વાયરસના મામલા ઝડપથી આવ્યા છે.

ડૉ. ઝોંગ નાનશને કહ્યું છે કે, જૂનના છેલ્લા મહિનામાં દર અઠવાડિયે આશરે 6.5 કરોડ કોરોના વાયરસના મામલા સામે આવી શકે છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે, મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દર અઠવાડિયે 4 કરોડ કોરોના વાયરસના મામલા સામે આવી શકે છે. જાણી લો કે, ડૉ. નાનશન એ જ ડૉક્ટર છે, જેમણે વર્ષ 2020માં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાઈ શકે છે.

ડૉ. ઝાંગ વેનહોંગના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના મામલાઓની ચીનની અર્થવ્યવસ્થા પર વધુ અસર નહીં પડશે. એવામાં ચીને વધુ પડતા પ્રતિબંધો અને લોકડાઉન વિશે ના વિચારવુ જોઈએ. આ મામલામાં ચીન પણ એવુ જ માને છે. ચીનના અધિકારી લોકડાઉનના પક્ષમાં નથી. તેમનું કહેવુ છે કે, ચીન હાલ પોતાની અર્થવ્યવસ્થા અને વધુમાં વધુ રોજગાર ઉપલબ્ધ કરાવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. એવામાં જો તેઓ લોકડાઉન તરફ વધે છે, તો તેમની ઇકોનોમી પર તેની ખરાબ અસર પડી શકે છે.

જાણી લો કે, ચીન કોરોના વાયરસને હજુ સીરિયસ જોખમ નથી માનતું અને લોકોને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોરોના વાયરસના મામલાઓની ગંભીરતા હવે વધુ નથી. આ ઉપરાંત, હાલ જે કોરોનાના મામલા સામે આવી રહ્યા છે, તેના લક્ષણ પણ ખૂબ જ હળવા છે.

એક રિપોર્ટ અનુસાર, ડૉ. ઝાંગ વેનહોંગે કહ્યું- હાલ જે કોરોનાના મામલા સામે આવી રહ્યા છે તેમા યુવાઓમાં વધુ ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યા. તેમનામાં હળવો તાવ અને હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે, કોરોનાના હાલના મામલાઓથી વૃદ્ધો અને એ લોકોને વધુ જોખમ છે, જેમણે કોરોના વેક્સીનનેશનનો પોતાનો ડોઝ હજુ પૂરો નથી કર્યો.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.