એક દિવસમાં 36000 લોકોના થશે મોત, કોરોના પર નવા આંકડાઓએ ચીનને ડરાવ્યું

ચીનમાં કોરોના વાયરસની લહેરે પૂરી રીતે દુનિયાને એલર્ટ કરી દીધી છે. રોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. હૉસ્પિટલોમાં બેડ્સની અછત છે, જ્યારે હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનમાં એક દિવસમાં 36 હજાર લોકોના મોત થઇ શકે છે. તે પહેલા સંભવિત આંકડાઓથી ખૂબ જ વધારે છે. રિપોર્ટ્સ મુજબ 26 જાન્યુઆરીના રોજ ચીનમાં કોરોના વાયરસ મોતનો આંકડો તાડવ મચાવી શકે છે. એનાલિટીક્સ કંપની એરફિનિટીએ પહેલા ચીન માટે 2 લહેરોનું અનુમાન લગાવ્યું હતું, જેમાં એક જ દિવસે થનારા મોતોની સંખ્યા 25 હજાર સુધી પહોંચી ગઇ હતી, પરંતુ હવે આ આંકડો બદલાઇ ગયો છે.

તેની પાછળનું કારણ તહેવાર અને લોકોનું એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું છે. એરફિનિટીના એનાલિટીક્સ ડિરેક્ટર ડૉ. મેટ લિનલીએ કહ્યું કે, ‘હવે અમે સંક્રમણ સાથે એક મોટી અને વધુ લાંબી લહેર જોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છીએ.’ તેમણે આગળ કહ્યું કે, તેજ કોરોના વાયરસની લહેરોનો અર્થ સ્વાસ્થ્ય સુવિધાઓ પર વધારે ભાર પડશે અને એ સંભાવના છે કે ભીડવાળી હૉસ્પિટલો અને દેખરેખની કમીના કારણે ઘણા દર્દીઓના મોત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશવ્યાપી વિરોધોથી પ્રેરિત થઇને ચીને 8 જાન્યુઆરીના રોજ પોતાની સીમાઓને ફરીથી ખોલી દીધી હતી. ચીને ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી દીધી છે. લ્યૂનર ન્યૂ યર ફેસ્ટિવલ 7 જાન્યુઆરીના રોજ શરૂ થયો, જ્યારે ચીની લોકો 21 જાન્યુઆરીથી શરૂ થનારી છુટ્ટીની તૈયારીમાં પોતાના ગૃહનગર ફરી ગયા છે. એરફિનિટીના સંશોધન મુજબ, 13-27 જાન્યુઆરી વચ્ચે અંદાજિત 62 લાખ સંક્રમણ સાથે કેસ એક દિવસમાં 48 લાખ સુધી વધી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તેનું નવું મોડલ 1 ડિસેમ્બરથી કુલ કેસોની સંખ્યા મુજબ 72.9 લાખથી વધીને 97.3 લાખ કરી રહ્યું છે.

મોતો પર કંપનીનું અનુમાન છે કે, 1 ડિસેમ્બરથી લગભગ 5,75,000 લોકોના મોત કોરોનાના કારણે થઇ શકે છે. તો ગત અનુમાન 4,36,780 હતું. ચીને શનિવારે પહેલી વખત પોતાના કોરોના વાયરસથી થનારા મોતોના આંકડાઓને સંશોધિત કર્યા, જેથી કોરોનાના કારણે થનારા મોતોની સંખ્યા અને સમવર્તી કોરોના સંક્રમણ સાથે 50 હજાર આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ પણ માનવામાં આવી રહ્યું છે કે ચીને મૃતકોના આંકડા ઓછા કરીને દેખાડ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.