ભારતમાં આ સમયે આવી શકે છે કોરોનાની લહેર, ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ હાજર

PC: scroll.in

ચીન બાદ હવે જાપાન અને અમેરિકા સહિત કેટલાક દેશોમાં કોરોનાથી પરિસ્થિતિ બગડવા લાગી છે. ભારતમાં સંક્રમણ હાલ કાબૂમાં છે. પણ અધિકારીઓનું કહેવું છે કે, ગયા થોડા વર્ષોના ટ્રેન્ડને જોઇને લાગે છે કે, જાન્યુઆરી મહિનામાં કેસ વધી શકે છે. ભારતમાં વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ મળ્યા છે. 24મી ડિસેમ્બર, 2022થી 3જી જાન્યુઆરી, 2023 વચ્ચે, બહારથી આવેલા 124 યાત્રી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. દરેક સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. 40ના રિપોર્ટ આવી ગયા છે. તેમાં ઓમિક્રોનના 11 સબ વેરિયન્ટ મળ્યા છે. સૌથી વધારે કેસ XBB અને BQ.1.1 સબ લિનિએજના છે.

ચીન, જાપાન અને સાઉથ કોરિયા સહિત કેટલાક દેશોમાં કોરોના વિસ્ફોટ બાદ ભારતે 24મી ડિસેમ્બર, 2022થી 2 ટકા આંતરરાષ્ટ્રીય યાત્રિઓનું રેન્ડમ સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. 3જી જાન્યુઆરી સુધી 9.05 લાખ એવા યાત્રીઓ આવ્યા છે. જેમાંથી લગભગ 2000નો ટેસ્ટ થયો છે. તેમાંથી 124 લોકોના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેટલાક કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસના આ વેરિયન્ટના કારણે અમેરિકામાં કેસ વધી રહ્યા છે. XBB 1.5 વેરિયન્ટ ઓમિક્રોનના XBB વેરિયન્ટથી જ સંબંધિત છે. અમેરિકામાં વાયરસના 44 ટકા કેસ XBB અને XBB 1.5ના જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓમીક્રોનના નવા સબ વેરિયન્ટ XBB 1.5ને હજુ સુધીનો સૌથી ઝડપથી ફેલાનારો વાયરસ માન્યો છે. દર બીજા સપ્તાહે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને XBB 1.5 સબવેરિયન્ટથી ઉત્તર પૂર્વ અમેરિકાને સૌથી વધારે પ્રભાવિત માન્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ઉત્તર પૂર્વ અમેરિકામાં XBB 1.5 સબવેરિયન્ટના ઝડપથી ફેલાવા પાછળ ચિંતા વ્યક્ત કરી છે.

દેશમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન વેક્સીનેશન પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં જાણકારોનું કહેવું છે કે, કોરોના સંક્રમણના જોખમને ઓછું કરવા માટે આપણે વેક્સિન ખાસ રૂપે લેવાની જરૂર છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. આપણે કોઇપણ પરિસ્થિતિમાં લડખડાવું ન જોઇએ.

પોસ્ટ કોવિડના લક્ષણોને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. કોવિડથી સારા થયા બાદથી લોકોને થાક લાગી રહ્યો છે. છાતીમાં દુખાવો થવા લાગ્યો છે તેને અવગણવો ન જોઇએ. આ દુખાવો હાર્ટની નબળાઇના કારણે પણ થઇ શકે છે. ઠીક થયાના થોડા દિવસ બાદ સુધી ઓક્સિજન, તાવ, બ્લડ પ્રેશર અને શુગરની જરૂર તપાસ કરાવો. ઉંઘ લો અને આરામ કરો. થોડા દિવસો બાદ જ્યાર સુધી સંપૂર્ણ રીતે ઠીક ન અનુભવો તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp