કોરોનાના આ નવા વેરિયન્ટથી ફરી મંડરાયું જોખમ? વૈજ્ઞાનિકોએ જુઓ શું કહ્યું

કોરોના વાયરસનું જોખમ અત્યાર સુધી આખી દુનિયા પરથી ટળ્યું નથી. તેના નવા નવા વેરિયન્ટ આખી દુનિયામાં ફરીથી ડરનો માહોલ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડોનેશિયામાં કોરોના વાયરસનો એક એવો કેસ સામે આવ્યો છે જે પ્રસારની બાબતે ઓમીક્રોનથી અનેક ગણો આગળ છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 110 વખત કરતા વધુ મ્યૂટેટ થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું કે, આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ મ્યૂટેડ વેરિયન્ટ છે.

જકાર્તામાં એક દર્દીના સ્વાબથી ડેલ્ટા વેરિયન્ટનો મોરફડ ડેલ્ટા વર્ઝન મળ્યું છે. તે ઓછામાં ઓછો 113 વખત મ્યૂટેટ કરી ચૂક્યો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, અત્યાર સુધી સૌથી ખતરનાક કોરોના વેરિયન્ટ થઈ શકે છે. આ વેરિયન્ટનીની તુલનામાં ઓમીક્રોન 50 વખત મ્યૂટેડ થયો છે. તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, અત્યાર સુધી તેના પુરાવા મળ્યા નથી, જેથી તે સમાપ્ત થઈ જશે. આ ખતરનાક વેરિયન્ટને જોતા આખી દુનિયામાં લોકના મનમાં ડર ફેલાઈ ગયો છે. એવામાં સવાલ ઉઠે છે કે શું આ વેરિયન્ટ ઓમીક્રોનની જેમ લોકડાઉન લગાવવાની સંભાવના વધારી શકે છે?

આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેના પ્રસારને લઈને લોકડાઉનની જરૂરિયાત નહીં પડે. જે દર્દીમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. તેમાં કોરોનાના લક્ષણ દેખાય છે. તે એક નવા સંક્રમણથી ઝઝૂમી રહ્યો હતો. તો નવા વાયરસના રેકોર્ડને જુલાઇના પહેલા અઠવાડિયામાં ઇન્ટરનેશનલ ડેટાબેઝમાં અપલોડ કરી દીધો છે. આ નવા વેરિયન્ટથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેને સારા થવામાં લગભગ એક મહિનો સુધી લાગી શકે છે. આ કોરોનાના વેરિયન્ટથી લોકોની ઇમ્યુનિટી ખૂબ નબળી થઈ જાય છે.

તેનાથી વૈજ્ઞાનિક ચિંતિત છે. જો કોઈ એડ્સ કે કેન્સર પીડિત દર્દી આ વેરિયન્ટથી સંક્રમિત થઈ જાય છે. તેની સારવારમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વારવિક યુનિવર્સિટીના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે જણાવ્યું કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે નવા શોધવામાં આવેલા સ્ટ્રેનમાં આગળ વધવા અને બીજાઓને સંક્રમિત કરવાની કોઈ ક્ષમતા છે કે નહીં. આ નવા વેરિયન્ટને લઈને બેદરકારી ન રાખવી જોઈએ. તેની બાબતે ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.