ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, છતા તેને મહામારીની કેટેગરીમાંથી હટાવવાની જાહેરાત

ચીનમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, અને ત્યાં આવુ ક્યારેય નથી જોવા મળ્યું. ત્યાં મહામારી આઉટ ઓફ કંટ્રોલ થઈ ચુકી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ માન્યું હતું કે, કોરોના હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. જોકે, આ બધા છતા ચીનમાં કોરોનાને લઈને આંકડા નથી આપી રહ્યા. પરંતુ, WHOના રિપોર્ટે તેની પોલ ખોલી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વીકલી રિપોર્ટ અનુસાર, ચીનમાં એક અઠવાડિયામાં કોરોનાના નવા મામલામાં આશરે 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ જણાવે છે કે, 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખ કરતા વધુ નવા મામલા સામે આવ્યા છે. જ્યારે, તેનાથી 12થી 18 ડિસેમ્બરની વચ્ચે 1.47 લાખ નવા મામલા સામે આવ્યા હતા. આ પ્રમાણે ચીનમાં કોરોનાના નવા મામલા 48 ટકા કરતા વધુ વધી ગયા છે.

એટલું જ નહીં, ચીન કોરોનાથી થતા મોતના જે આંકડા આપી રહ્યું છે તે પણ ખૂબ જ ઓછાં છે. WHOનો રિપોર્ટ દર્શાવે છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે ચીનમાં કોરોનાથી 648 મોત થયા છે. આ બધા ઉપરાંત, ચીનમાં હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ 48 ટકા વધી ગઈ છે. ગત અઠવાડિયે ચીનની હોસ્પિટલોમાં સાડા 22 હજાર નવા દર્દી દાખલ થયા છે. નવા વર્ષ પર રાષ્ટ્રના નામે સંબોધનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માન્યું હતું કે, કોરોના મોટો પડકાર બની રહ્યો છે. જિનપિંગે કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં અમે નવા ફેઝમાં આવી ચુક્યા છીએ અને તે હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે.

જોકે, આ દરમિયાન પણ તેમણે પોતાની કોવિડ પોલિસીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોવિડની શરૂઆતથી જ અમે અમારા લોકો અને તેમના જીવનને સૌથી ઉપર રાખ્યા છે. વિજ્ઞાન પર આધારિત નીતિ અપનાવીને અને લોકોના જીવનને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લીધા. ચીનમાં જ્યાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેમ છતા ત્યાંથી બધી પાબંધીઓ હટવાની છે. ચીનમાં 8 જાન્યુઆરીથી આંરરાષ્ટ્રીય યાત્રિઓ માટે ક્વોરન્ટાઈન રહેવુ જરૂરી નહીં હશે. આ પહેલા ત્રણ વર્ષ સુધી ચીનમાં આવનારા યાત્રિઓનું બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રહેવુ જરૂરી હતું.

ચીને કોવિડ-19ને 2020થી ખતરનાક સંક્રામક બીમારીની A કેટેગરીમાં રાખ્યો હતો. તેને બ્યૂબોનિક પ્લેગ જેવો માનવામાં આવ્યો હતો. પરંતુ, હવે કોવિડ-19ને B કેટેગરીમાં મુકવામાં આવશે. એટલે કે, ચીનમાં હવે કોવિડ-19 ખતરનાક સંક્રામક બીમારી નહીં રહેશે. તેની પાછળ ચીનનો તર્ક છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ વધુ ખતરનાક નથી. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવુ છે કે, ઓમિક્રોન, ડેલ્ટાની જેમ જીવલેણ અને ખતરનાક નથી. એટલું જ નહીં, ચીન હવે કોરોનાના મામલાનો રેકોર્ડ પણ નહીં રાખશે.

ચીનના મહામારી વિશેષજ્ઞ વૂ જુન્યોએ ગત મહિને દાવો કર્યો હતો કે, ચીનમાં ત્રણ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે. તેમણે દાવો કર્યો કે, ચીન હાલ પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પીક મિડ જાન્યુઆરીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, 21 જાન્યુઆરીથી ચીનનું લૂનાર ન્યૂ યર શરૂ થઈ રહ્યું છે અને આ કારણે લોકો ટ્રાવેલ કરશે, જેના કારણે બીજી લહેર શરૂ થશે. આ દરમિયાન લાખો લોકો ટ્રાવેલ કરે છે. આથી, જાન્યુઆરીના અંતથી બીજી લહેર શરૂ થઈ શકે છે જે મિડ-ફેબ્રુઆરી સુધી ચાલશે.

જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી શરૂ થવાનો સંકેત છે. વૂ જુન્યોનું કહેવુ છે કે, હોલિડી બાદ લોકો ફરી ટ્રાવેલ કરશે અને આ કારણે ત્રીજી લહેર આવી શકે છે. ત્રીજી લહેર ફેબ્રુઆરીથી મિડ-માર્ચ સુધી ચાલી શકે છે. હાલમાં અમેરિકાના એક રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, 2023માં ચીનમાં કોરોના વિસ્ફોટ થઈ શકે છે અને આવતા વર્ષે 10 લાખ કરતા વધુ લોકોના મોત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.