રાજ્યમાં આ વેરિયન્ટના કેસો વધી રહ્યા છે, 2 દિવસ મોકડ્રીલ થશેઃ સ્વાસ્થ્યમંત્રી

કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, દેશમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યા 3000 કેસો આવતા હતા ત્યાં હવે રોજના 6000 કેસો આવવાના શરૂ થયા છે. ગુજરાતમાં 6 એપ્રિલે 327 નવા કેસો સામે આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ફરી એકવાર એક્ટિવ થઇ ગયું છે અને દેશમાં કોરોનાની તૈયારીની જાણકારી મેળવી રહ્યું છે.

ફરી જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં ટેસ્ટીંગ, મોનેટરીંગ, વેક્સીન, દવાઓના સ્ટોક જેવી અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. દરેક રાજ્યોની કેવી તૈયારી છે તે વિશે મનસુખ માંડવિયાએ જાણકારી મેળવી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં, XBB 1.6 વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. ગુજરાતાં અત્યારે કોરાનાના 2141 એક્ટિવ કેસો છે.

ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં આગામી 10 અને 11 એપ્રિલે કોરોના હોસ્પિટલોમાં બે દિવસની મોક ડ્રીલ રાખવામાં આવશે. ગુજરાતી બધી તૈયારી કરી દીધી છે. ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વધુ વેક્સીનની માંગ કરી છે.

ગુજરાતમાં હાલના કોરોના કેસોની વાત કરીએ તો 6 એપ્રિલ, ગુરુવારે 327 કેસો નવા આવ્યા હતા. તેમાં સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 95 કેસ, અમદાવાદ જિલ્લામાં 98, વડોદરા જિલ્લામાં 60, સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડ અને મોરબીમાં 12-12, મહેસાણામાં 24, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડમાં 12, મોરબીમાં 12, અમરેલી, ભરુચ, ભાવનગરમાં 4-4 કેસો નોંધાયા હતા.

IIT કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, આગામી મે મહિનામાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધશે અને રોજના 20,000 જેટલા કેસો આવી શકે છે. જો કે , તેમણે એક રાહત આપનારી વાત કરતા કહ્યું છે કે, આટલી માટો વસ્તી ધરાવતા દેશમાં આટલા કેસોથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે, લોકોએ માત્ર તેમની નેચરલ ઇમ્યુનિટી વધારવા પર ધ્યાન આપવું જોઇએ.તેમણે કહ્યું કે બ્રાઝીલ, દક્ષિણ કોરીયા, જાપાન અને ભારતના લોકોમાં કુદરતી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં અત્યારે કોરોનાના 28303 કેસો એક્ટિવ કેસો નોંધાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.