કોરોના વાયરસના નવા વેરિયન્ટથી બચાવ માટે WHOએ બદલી ગાઇડલાઇન્સ, જાણો વિગત

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસ સતત કે વર્તાવી રહ્યો છે. ચીનમાં લાખો લોકોના મોત પણ હાલની લહેરમાં જોવા મળી રહ્યા છે. ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન વગેરે દેશોમાં સંક્રમિતોની જીનોમ સિક્વેન્સિંગમાં નવા કોરોના વાયરસના સબવેરિયન્ટની જાણકારી મળી છે. તેનાથી આખી દુનિયામાં આ મહામારીની વધુ એક લહેર આવવાનું જોખમ ઉત્પન્ન થઇ ગયું છે. તેના કારણે લોકોને આ જીવલેણ વાયરસથી બચાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.

સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી એક વખત બધાને માસ્ક પહેરવા, કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ નજરે પડે છે તો તેને ઓછામાં ઓછા 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવે. આ ગણતરી લક્ષણ દેખાવાના દિવસથી શરૂ થશે. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસના લક્ષણવાળી વ્યક્તિને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવા અને ત્યારબાદ ઓછામાં ઓછા 3 દિવસ સુધી તેની દેખરેખ કરવાની ગાઇડલાઇન્સ જાહેર કરી રાખી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ કહ્યું કે, જો કોઇ કોરોનાનો દર્દી RT-PCR ટેસ્ટ નેગેટિવ આવી જાય છે તો તેનો આઇસોલેશન પિરિયડ ઓછો કરી શકાય છે. જે લોકોના ટેસ્ટ પોઝિટિવ છે, પરંતુ તેમાં કોઇ લક્ષણ નથી, તેમણે હવે 10 દિવસની જગ્યાએ 5 દિવસ જ આઇસોલેટ રહેવું પડશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપી કે પબ્લિકમાં માસ્ક પહેરી રાખવું જોઇએ. જો સ્થાનિક સ્તર પર કોરોનાના નવા કેસ વધારે મળી રહ્યા નથી છતા પણ વૈશ્વિક સ્તર પર આ મહામારીની હાલતને જોતા માસ્ક પહેરવું જ સૌથી મોટો બચાવ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એ લોકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપી છે જે હાલમાં કોરોનાની ઝપેટમાં આવીને સારા થયા છે. જે લોકો કોરોના સંક્રમિત થવાના શંકાસ્પદ છે જે લોકો ગંભીર કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થવાની હાઇ રિસ્ક લિસ્ટમાં છે કે પછી જે લોકો ભીડવાળા, બંધ કે ખૂબ ઓછા વેન્ટિલેશનવાળી જગ્યા પર ઉપસ્થિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસ સંક્રમણની સારવાર કરવા માટે નિર્માટ્રેલવિર રિટોનાવિર દવાઓના ઉપયોગની ભલામણ કરી છે. એ સિવાય વિશ્વ આરોગ્ય સંસ્થાએ અન્ય બદવાઓ સોટ્રોવિમાબ અને કાસિરિવિમાબ ઇમદેવીમાબની પણ સમીક્ષા કરી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બંને દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.