મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રિલ કર્યું, ભારત માટે આગામી 40 દિવસ મહત્વના

ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાના વધતા કેસના કારણે ભારતમાં પણ ચિંતા ઉભી થઇ ગઇ છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, આગામી 40 દવસો ભારત માટે મહત્વપૂર્ણ રહેશે કારણ કે, ભારતમાં પાછલા થોડા વર્ષોની જેમ જાન્યુઆરીના મધ્યમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. જ્યારે પણ ઓમિક્રોનનું સબ વેરિયેન્ટ BF 7 આવશે તો એકાએક કેસમાં ઉછાળો આવી શકે છે.

એ સિવાય નેઝલ વેક્સિનને બજારમાં આવતા હજુ એક મહિનો લાગશે. આ વખતે માસ્ક લગાવવું અનિવાર્ય કરવાની સંભાવના નથી. સરકારી સૂત્રોનું કહેવું છે કે, મૃત્યુની સંખ્યા પણ વધવાની આશંકા નથી, પણ કેસમાં ઉછાળો આવી શકે છે. BF 7 વેરિયેન્ટ પર વેક્સીનના પ્રભાવની તપાસ પણ ચાલી રહી છે.

બે દિવસોમાં એરપોર્ટ પર 6000 લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી અને તેમાં 32 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કાલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એરપોર્ટ પર જશે. ટ્રેન્ડ કહે છે કે, પૂર્વ એશિયાથી શરૂ થયા બાદ ભારત પહોંચવામાં વાયરસને 30થી 35 દિવસનો સમય લાગે છે. આ હિસાબે જાન્યુઆરી મહિનો ભારત માટે મહત્વનો રહેશે.

એક અધિકારીએ કહ્યું કે, વિગતમાં, એ જોવા મળ્યું હતું કે, પૂર્વ એશિયાના કોવિડ 19ની ચપેટમાં આવવાના 30થી 35 દિવસ પછી ભારતમાં મહામારીની એક નવી લહેર આવી હતી. આ એક પ્રવૃત્તી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે, સંક્રમણની ગંભીરતા ઓછી છે. જો કોવિડની નવી લહેર આવે છે તો તેનાથી થનારા મોત અને સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવાની સંભાવના ઓછી રહેશે.

સૂત્રોએ કહ્યું કે પરિસ્થિતિને જોતા જલ્દી જ ચીન સહિત 6 દેશોથી આવનારા હવાઇ યાત્રીઓ માટે કોરોના તપાસ અનિવાર્ય કરવા અને એર સુવિધાના અન્ય પ્રાવધાન લાગૂ કરવાની સંભાવના છે. ચીન સિવાય આ દેશોમાં સિંગાપોર, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને હોંગ કોંગ શામેલ છે.

આખા દેશની કેટલીક હોસ્પિટલોએ મંગળવારે કોવિડ 19ના કેસમાં કોઇ પણ વધારાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય સુવિધાઓની તૈયારીની તપાસ કરવા માટે મોક ડ્રિલનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ઉપકરણો અને માનવ સંસાધનોના પરિચાલન સંબંધિત તૈયારીઓનું આકલન કરવું મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં, LNJP હોસ્પિટલ સિવાય, કેન્દ્ર હેઠળ આવનારા સફદરજંગ હોસ્પિટલ જેવી કેટલીક સરકારી હોસ્પિટલો અને દક્ષિણ દિલ્હીની એપોલો હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ મોક ડ્રિલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.