કોરોનના ડરથી ત્રણ વર્ષ સુધી રૂમમાં બંધ રહ્યા માતા-પુત્ર, બાળકની હાલત જોઈ પોલીસ..

કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં દરેક લોકો ડરી ગયા હતા. લોકોએ અહીં અને ત્યાં આવવા જાવાનું બંધ કરી દીધું હતું. બધાએ પોતપોતાને તેમના ઘરમાં કેદ કરી લીધા હતા. પરંતુ ધીરે ધીરે રોગચાળો કાબૂમાં આવ્યો. સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી અને બધું સામાન્ય થઈ ગયું. પરંતુ, આજથી ત્રણ વર્ષ પહેલા ગુરુગ્રામની એક મહિલાએ કોરોના મહામારીના ડરથી પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી. આ સાથે મહિલાએ તેના પુત્રને પણ રૂમમાં બંધ કરી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મહિલા ત્રણ વર્ષ સુધી તેના રૂમમાંથી બહાર નીકળી નહોતી. મહિલાનો દીકરો સાત વર્ષનો હતો જ્યારે તેણે છેલ્લે સૂર્યને જોયો હતો. માસૂમ ત્રણ વર્ષ સુધી એક રૂમમાં બંધ રહ્યો. જ્યારે પોલીસે જ્યારે માતા-પુત્રને રૂમમાંથી બહાર કાઢ્યા, તો બાળકની હાલત જોઈને બધા દંગ રહી ગયા.

ત્રણ વર્ષથી મુનમુન માંઝી (33)એ પોતાને તેના પુત્ર સાથે એક રૂમમાં બંધ રાખ્યા હતા. જ્યારે પોલીસ માતા-પુત્રને રૂમમાંથી બહાર લઈ ગઈ ત્યારે મુનમુન પોલીસને વારંવાર કહેતી રહી કે, હું મારા પુત્રને બહાર જવા નહીં દઉં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુનમુન કોરોના મહામારીને લઈને ગભરાટમાં હતી. મુનમુન સતત પોલીસકર્મીઓને કહેતી હતી કે, હું મારા દીકરાને બહાર નહીં નીકળવા દઉં… જો મારો દીકરો બહાર નીકળશે તો તે તરત જ મરી જશે.

કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં મુનમુને તેના પુત્રને પોતાની સાથે રૂમમાં બંધ કરી દીધો હતો. તે સમયે તેનો પુત્ર સાત વર્ષનો હતો. ત્રણ વર્ષથી માસૂમ બંધ રૂમમાં કેદ હતો. તે કોઈને મળી શક્યો નહીં. રૂમમાં તેની માતા એકમાત્ર વ્યક્તિ હતી જેની સાથે તે આખો દિવસ પસાર કરતો હતો. બાળક જ્યારે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તે દસ વર્ષનો થઇ ગયો હતો. એક રિપોર્ટ અનુસાર, બાળકે રૂમની દિવાલો પર ઘણું બધું લખેલું હતું. બાળકે રૂમની દીવાલો પર અનેક ચિત્રો પણ બનાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ વર્ષમાં બાળકના વાળ ખભા સુધી વધી ગયા હતા. મા-દીકરો જે રૂમમાં રહેતા હતા તે રૂમ કચરાના ઢગલાથી ભરેલો હતો. જો થોડા દિવસો સુધી બાળકને રૂમમાંથી બહાર ન કાઢવામાં આવ્યો હોત તો કંઈક અઘટિત બની શકે તેમ હતું.'

કોરોના મહામારીના ડરથી મુનમુને પોતાના પુત્ર સાથે એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્રણ વર્ષ સુધી મુનમુને તેના પતિને પણ રૂમમાં પ્રવેશવા ન દીધો. મુનમુનના પતિ સુજન માંઝી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. શરૂઆતના દિવસોમાં તેણે તેની પત્નીને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ મુનમુન મહામારીથી ખૂબ ડરી ગઈ હતી. મુનમુનને ડર હતો કે જો તેનો પુત્ર રૂમમાંથી બહાર આવશે તો તે તરત જ મરી જશે. આ પછી સુજને પોલીસની મદદ લીધી. પોલીસે મુનમુન અને તેના પુત્રને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. માતા-પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુનમુનના પતિ સુજને કહ્યું કે મને આશા છે કે મારી જિંદગી થોડા દિવસોમાં ફરી પાછી પાટા પર આવી જશે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.