શું વેક્સીનથી હાર્ટ ઍટેક આવવા કે સ્ટ્રોકનું જોખમ વધ્યું? સ્ટડીમાં મળ્યા જવાબ

કોરોના રોધી વેક્સીનથી લોકોમાં ગંભીર બીમારીઓનું કોઇ જોખમ હોવાનું જાણવા મળ્યું નથી. એક નવી સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. સ્ટડી મુજબ, કોરોના વાયરસ વેક્સીનથી હાર્ટ એટેક આવવા, સ્ટ્રોક, માયોકાર્ડિટિસ (હૃદયની માંસપેશીઓમાં સોજાની સમસ્યા), પેરિકાર્ડિટિસ અને ડીપ વેન થ્રોમ્બોસિસ જેવી બીમારીઓનું જોખમ વધ્યું નથી. એવામાં આ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂરિયત નથી. પેરિકાર્ડિટિસ પેરિકાર્ડિયમમાં થનારો સોજો છે.

આપણાં હૃદયના બાહ્ય ભાગમાં 2 પરતોવાળા એક દ્રવ્યથી ભરેલી થેલી સ્થિત હોય છે, જેને પેરિકાર્ડિયમ કહેવાય છે. તેનું મુખ્ય કાર્ય આપણાં હૃદયને આરામ આપવાનું, સંક્રમણથી દૂર રાખવાનું હોય છે. જો આ પરતોમાં સોજો આવે છે તો તેના કારણે છાતીમાં દુઃખાવો થઇ શકે છે. ડીપ વેન થ્રોમ્બોસિસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ક્યાંક કોઇ એક નસની અંદર લોહીનો થર બની જાય છે. ‘જર્નલ વેક્સીન્સ’માં પ્રકાશિત સ્ટડીમાં જાન્યુઆરી 2021 થી જુલાઇ 2022 સુધી 18 મહિનાઓ માટે ઇટાલીના પેસ્કારા પ્રાંતની આખી વસ્તીની દેખરેખ રાખવામાં આવી.

ઇટાલીમાં બોલોગ્ના યુનિવર્સિટીના સંશોધનકર્તાઓના નેતૃત્વમાં ટીમે રહેવાસીઓના સ્વાસ્થ્ય આંકડા એકત્ર કર્યા અને હૃદય રોગ, પલ્મોનરી એલ્બોલિઝ્મ અને થ્રોમ્બોસિસ જેવી ગંભીર બીમારીઓનું વિશ્લેષણ કર્યું હતું. પાલ્મોનરીઓ એમ્બોલિઝ્મ ફેફસામાં એક લોહીનો થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર જેવો હાથ કે પગ, રક્તપ્રવાહથી થઇને ફેફસાની રક્ત વાહિકાઓમાં જમા થઇ જાય છે.

બોલોગ્ના યુનિવર્સિટીમાં પ્રોફેસર લેંબર્ટો મંજોલીએ કહ્યું કે, સ્ટડીના પરિણામોથી સ્પષ્ટ છે કે વેક્સીન લગાવનારા ગંભીર બીમારીઓનું કોઇ જોખમ નહોતું. વિશ્લેષણથી એ વાતની પણ પુષ્ટિ થઇ કે કોરોના વાયરસથી સંક્રમિત થનાર જે લોકોએ વેક્સીન લગાવી હતી, તેઓ એ લોકોની તુલનામાં વધુ સુરક્ષિત હતા, જેમણે વેક્સીન લીધી નહોતી.

જો કે, રાજીવ ગાંધી હૉસ્પિટલના કાર્ડિયો સર્જન અને સીનિયર કન્સલટેન્ટ ડૉક્ટર અજીત જૈન કહે છે કે કોરોના મહામારી બાદ સતત હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાથી મોટોમાં વધારો જોવા મળ્યો છે. હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓના કેટલાક મુખ્ય કારણોની જો વાત કરીએ તો તેમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સૌથી મુખ્ય છે. દેશમાં સુગરની બીમારી એક એપેડેમિક જેવી છે, જેનાથી હાર્ટ એટેક થવાના ચાંસ વધી જાય છે. એ સિવાય યુવાનોમાં સ્ટ્રેસની વધુ માત્રા પણ હૃદય સાથે જોડાયેલી બીમારીઓને નોતરું આપે છે. એ સિવાય તમારી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી ટેવો જેમ કે સ્મોકિંગ વેગેરેથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. તો કોલેસ્ટ્રોલ લેવલ અને ફૂડિંગ હેબિટનો પણ હાર્ટ એટેક સાથે ગઢ સંબંધ હોય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.