કેન્દ્રનો મોટો નિર્ણય, આ 6 દેશોથી આવનારા યાત્રીઓ માટે RT-PCR ટેસ્ટ જરૂરી

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. વિશેષજ્ઞોઓનો દાવો છે કે નવા વર્ષ પર ત્યાં પરિસ્થિતિ વધુ પણ બગડશે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ મંડવિયાએ જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી હવે 6 દેશોથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તેમને મુસાફરી કરવા પહેલા પોતાની નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.

સરકારે જે દેશોમાં મુસાફરો માટે RT-PCR અનિવાર્ય કર્યું છે, તેમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઇલેન્ડ સામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઇને જાહેર કરેલી ગાઇડલાઇન પર ભ્રમની સ્થિતિના કારણે એર સુવિધા લાગૂ કરવામાં આવી છે. આમ 24 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ઉડાણોથી આવનારા મુસાફરોથી 2 ટકાનું રેન્ડમ ટેસ્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય એરપોર્ટ પર કોરોના પ્રોટોકૉલનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

એ સિવાય એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે સ્વાસ્થ્ય અધિકારી મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરી રહ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન જો લક્ષમ જોવા મળે છે તો તેમને પ્રોટોકોલ હેઠળ ચિકિત્સા સુવિધા આપવામાં આવે છે. વિદેશ મુસાફરોથી એટલે પણ એલર્ટ રહેવાની જરૂરિયાત છે કેમ કે વિદેશથી આવી રહેલા દરેક 150 મુસાફરોમાંથી એક પોઝિટિવ નીકળી રહ્યો છે. આંકડાઓ મુજબ, ભારતમાં એરપોર્ટ્સ પર છેલ્લા 2 દિવસોમાં 6000 મુસાફરોની કોરોના ટેસ્ટિંગ થયું છે.

તેમાંથી 30 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે એટલે કે 150માંથી 1 મુસાફર કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. આ ચિંતા વધારનારી વાત છે કેમ કે તે દેશના ડેઇલી એવરેજ કેસથી ઘણા વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ ગત દિવસોમાં જણાવ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. દેશ માટે આગામી 40-45 દિવસ ખૂબ મહત્ત્વના હશે. તો IIT, કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે પણ માન્યું કે આગામી થોડા દિવસ મુશ્કેલ હોય શકે છે, પરંતુ ભારતમાં પેનિક હોવાનું કોઇ કારણ મને નજર પડી રહ્યું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,36,919 લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું, જેમાં 268 લોકો પોઝિટિવ આવ્યા છે. તો આ વાયરસથી 2 લોકોના મોત થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,552 થઇ ગઇ છે. ડેઇલી પોઝિટિવિટી દર 0.11 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવિટી દર 0.17 ટકા છે. તો રિકવરી રેટ 98.80 ટકા છે. ચીનના મહામારી વિશેષજ્ઞ વૂ જુન્યોએ આગામી 3 મહિનામાં 3 લહેરો આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ચીન અત્યારે પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પિક મિડ જાન્યુઆરીમાં હોય શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.