દેશમાં છેલ્લા 24 કલાકમાં 1804 નવા કેસ, આ રાજ્યની એક જ શાળામાંથી મળ્યા 37 કેસ

શું એક વર્ષ બાદ દેશમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે? રવિવારે આખા દેશમાં 1805 નવા કેસ મળ્યા હતા, જે છેલ્લા 149 દિવસોમાં સૌથી વધુ છે. એટલું જ નહીં, પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાના ગઢ બનેલા મહારાષ્ટ્રમાં ફરી એક વખત ચિંતાના સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે જ 397 નવા કેસ સામે આવ્યા છે એટલે કે આખા દેશના એક ચતુસ્થાંસ કેસ માત્ર મહારાષ્ટ્રથી જ મળ્યા છે. તેની સાથે જ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઝડપથી વધાતા 10,300 થઈ ગઈ છે.

કોરોના વાયરસનો ડેઇલી પોઝિટિવ રેટ પણ 3.19 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગઈ કાલે કોરોના વાયરસના કારણે 4 લોકોના મોત પણ થયા હતા. આ લોકો ચંડીગઢ, ગુજરાત, હિમાચલ અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. નવા કેસોની બાબતે અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં વધારે ચિંતા દેખાઈ રહી છે. અહી રવિવારે 397 નવા કેસ મળ્યા છે, જેમાં ઠાણેથી 47 કેસ સામે આવ્યા છે. આખા દેશમાં કોરોના સંક્રમનની ગતિ 3 ટકાથી વધારે પહોંચી ગઈ છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પણ રવિવારે 38 કેસો સામે આવ્યા છે. તેમાંથી 37 કેસો તો એક જ શાળામાંથી આવ્યા છે. આખા રાજ્યમાંથી કોરોનાના 62 કેસ મળ્યા છે. એટલું જ નહીં પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. બે અઠવાડિયાની અંદર જ 133થી વધીને કોરોના વાયરસના કેસ 415 થઈ ગયા છે. હાલમાં સૌથી વધુ 98 કેસ શિમલમાં નોંધાયા છે અને 95 કેસ મંડીમાં છે તો 64 કેસ કાંગડામાં છે.

કર્ણાટકમાં કોરોના વાયરસના 109 કેસ સામે આવ્યા છે, જ્યારે 168 નવા કેસ ગુજરાતથી સામે આવ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ સીઝન બદલાવાનો સમય છે. ક્યારેક પુષ્કળ ગરમી હોય છે તો ક્યારેક સવારે અને સાંજે સામાન્ય ઠંડી અનુભવાય છે. એવા સમયમાં સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે. આજે સાંજે હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે એક મીટિંગ બોલાવી છે, જેમાં તેઓ રજ્યોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. આખા દેશમાં 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રિલ કરવાનો પ્લાન બની રહ્યો છે. તેમાં બધા જિલ્લાઓની હૉસ્પિટલોને સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કોરોના અને એનફ્લૂએન્જાના બચાવ માટે ગાઈડલાઇન આપવામાં આવશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.