39 મહિના પછી કોરોના અંગે WHOએ એવી જાહેરાત કરી કે તમે પણ ખુશ થઈ જશો

આખી દુનિયામાં મોતનું કેર વર્તાવનાર કોરોના વાયરસને લઈને હવે કંઈક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોરોના વાયરસ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી રહ્યો નથી. એટલે કે હવે આ વૈશ્વિક મહામારી નથી. તેને લઈને ઇમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ જેણે આખી દુનિયામાં 6.9 મિલિયન કરતા વધુ લોકોના જીવ લઈ લીધા. તે હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કયું છે કે, કોરોના વાયરસ અત્યારે ઓણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, જ્યારે કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો, તો ચીનમાં 100 કરતા ઓછા કોરોનાના કેસ આવ્યા હતા અને કોઈનું મોત થયું નહોતું, પરંતુ 3 વર્ષ બાદ મૃત્યુ પામનારા લોકોનો આંકડો વધીને 70 લાખ પહોંચી ગયો, જે રિપોર્ટમાં થયો છે.

તેણે આગળ કહ્યું કે, અમને લાગે છે કે તેમાં લગભગ 2 કરોડ લોકોના જીવ ગયા હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, કોરોના વાયરસ વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સમાપ્ત થઈ ગયો છે. જો કે, તેનો અર્થ એ નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમના રૂપમાં કોરોના વાયરસ સમાપ્ત થઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ, મૃત્યુ દર જાન્યુઆરી 2021માં પ્રતિ સપ્તાહ 100,000 કરતા વધુ લોકોના શિખરથી ધીમો થઈ ગયો છે અને 24 એપ્રિલના સપ્તાહમાં 3500 કરતા વધુ થઈ ગયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોના વાયરસને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીને હટાવવાનો નિર્ણય છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાને જોતા લીધો છે. કોરોના વાયરસની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહ્યા. ઘણા લોકો આ દરમિયાન તણાવ અને ચિંતામાંથી પસાર થયા. તેણે દુનિયાની અર્થવ્યવસ્થાને પણ નષ્ટ કરી દીધી. લેન્સેન્ટના રિપોર્ટ મુજબ, 1 ડિસેમ્બર 2019ના રોજ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 5 દિવસ બાદ પહેલા દર્દીની પત્નીમાં પણ ન્યૂમોનિયા જેવા લક્ષણ દેખાયા હતા અને તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.