મહાકાલના શહેર ઉજ્જૈનમાં પહેલીવાર ઉજવાશે શિવદિવાળી- 21 લાખ દીવાઓથી ઝળહળશે

દેવ દિવાળી બાદ હવે શિવ દિવાળી ફરી એક વખત ધાર્મિક નગરી ઉજ્જૈનને વૈશ્વિક પાતાળ પર ચમકાવવા જઇ રહી છે. મહાશિવ રાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવીને શિવ દિવાળી મનાવવામાં આવશે. આ મુખ્ય આયોજનમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવ રાત્રિના પર્વ પર ભગવાન શિવ અને પર્વતીના લગ્ન થયા હતા.

મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં શિવ દિવાળી પર્વને લઈને મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉજ્જૈનમાં શિવ દિવાળીને લઈને ખૂબ ઉત્સાહ છે. આ દિવસે મહાકાલેશ્વર મંદિર, રામઘાટ, દત્ત અખાડા ઘાટ, નરસિંહ ઘાટ, સોનેરી ઘાટ, મંગળનાથ મંદિર, કાળ ભૈરવ મંદિર, 84 મહાદેવ અને ઉજ્જૈનના ઘર મોટા પ્રમાણમાં દીવા સળગાવવામાં આવશે. જિલ્લા પ્રશાસન ઉજ્જૈન જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓથી પણ 20 લાખ દીવા મંગાવ્યા છે.

આ આયોજનાને ‘શિવ જ્યોતિ અર્પણમ’ નામ આપવામાં આવ્યું છે. આ આયોજનમાં સામેલ થવા માટે મહાશિવરાત્રિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવશે. ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, આમ તો અયોધ્યાથી કોઈ પ્રતિસ્પર્ધા નથી, પરંતુ ગયા વર્ષે ઉજ્જૈનમાં 11 લાખ 75 હજાર દીવા સળગાવવામાં આવ્યા હતા. તેની તુલનામાં અયોધ્યામાં 15 લાખ 75 હજાર દીવા સળગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખત મહાશિવરાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ લક્ષ્યમાં સફળતા મળતા જ ઉજ્જૈનનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ જશે. મ્યુનિસિપલ કમિશનર રોશન સિંહે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશાન મતથી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. એ સિવાય મહાકાલેશ્વર મંદિર સમિતિ તરફથી પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. આ આયોજન પર એક અનુમાન મુજબ, 4-5 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઈ રહી છે. કહેવામાં આવે છે કે આ આયોજનને લઈને અયોધ્યામાં 20 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી. તેની તુલનામાં ઉજ્જૈનમાં ઘણી રકમ ખર્ચ કરવામાં આવી ચૂકી છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.