મકર સંક્રાંતિ ક્યારે ઉજવાશે? 14મી જાન્યુઆરી કે 15મીએ,તારીખની મૂંઝવણ અહીં દૂર કરો

મકરસંક્રાંતિ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. જ્યારે સૂર્ય પૌષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને દાન જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું અને ખાવાનું વિશેષ મહત્વ છે. આ કારણથી આ તહેવારને ઘણી જગ્યાએ ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, આ તહેવાર પર સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા આવે છે. આ તહેવાર સાથે સૂર્ય અને શનિના જોડાણને કારણે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સામાન્ય રીતે આ સમયે શુક્રનો ઉદય થાય છે, તેથી અહીંથી શુભ કાર્યોની શરૂઆત થાય છે.

ઉદયતિથિ અનુસાર આ વખતે 15 જાન્યુઆરી 2024ના રોજ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે, સૂર્ય મોડી રાત્રે 2:54 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે.

મકરસંક્રાંતિ પુણ્યકાલ-સવારે 07:15 થી સાંજે 06:21 સુધી, મકરસંક્રાંતિ મહા પુણ્યકાલ-સવારે 07:15 થી 09:06 સુધી

77 વર્ષ પછી 15 જાન્યુઆરી 2024ના રોજ મકરસંક્રાંતિના દિવસે વરિયાન યોગ અને રવિ યોગનો સંયોગ બને છે. આ દિવસે બુધ અને મંગળ પણ એક જ રાશિ ધનુ રાશિમાં રહેશે.

વરિયાન યોગ-15 જાન્યુઆરીએ આ યોગ વહેલી સવારે 2:40 થી રાત્રે 11:11 સુધી ચાલશે.

રવિ યોગ-15 જાન્યુઆરીએ સવારે 07:15 થી 08:07 સુધી રહેશે.

સોમવાર-પાંચ વર્ષ પછી મકરસંક્રાંતિ સોમવારે આવી રહી છે. આવી સ્થિતિમાં તમને સૂર્યની સાથે ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થશે.

આ દિવસે સવારે સ્નાન કરી લોટમાં લાલ ફૂલ અને ચોખા મૂકી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. સૂર્ય બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભગવદના એક અધ્યાયનો પાઠ કરો અથવા ગીતાનો પાઠ કરો. નવું અનાજ, ધાબળા, તલ અને ઘીનું દાન કરો. ભોજનમાં નવા અનાજની ખીચડી બનાવો. ભગવાનને ભોજનનો ભોગ અર્પણ કરો અને પ્રસાદ તરીકે તેનું સેવન કરો. સાંજના સમયે અન્ન ન લેવું. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણોની સાથે તલનું દાન કરવાથી શનિ સંબંધિત તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

મકરસંક્રાંતિના દિવસે કરો આ ખાસ ઉપાયઃ મકરસંક્રાંતિના દિવસે નહાવાના પાણીમાં કાળા તલ નાખી દો. તલના પાણીથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જે વ્યક્તિ આવું કરે છે તેને રોગમાંથી રાહત મળે છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો અને સૂર્યદેવને અર્પણ કરેલા જળમાં તલ ખાસ નાખો. આમ કરવાથી વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. આ દિવસે ધાબળા, ગરમ વસ્ત્રો, ઘી, દાળ, ચોખાની ખીચડી અને તલનું દાન કરવાથી ભૂલથી પણ થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે પિતૃઓની શાંતિ માટે જળ અર્પણ કરતી વખતે તેમાં તલ નાખો. આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જો તમે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ઘરમાં સૂર્ય યંત્ર સ્થાપિત કરો અને સૂર્ય મંત્રનો 501 વાર જાપ કરો. કુંડળીમાં રહેલા કોઈપણ પ્રકારના સૂર્ય દોષને દૂર કરવા માટે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો અથવા તાંબાનો ચોરસ ટુકડો તરતો મૂકી દો.

મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવુંઃ તલ-મકરસંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખિચડી-મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવી જેટલી શુભ હોય છે, તેટલું જ તેનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગોળ-આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ છે. ગોળનું દાન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેલ-આ દિવસે તેલનું દાન કરવું શુભ છે. આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. અનાજ-મકર સંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. રેવડી-મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ધાબળો-આ દિવસે ધાબળો દાન કરવું શુભ છે. આનાથી રાહુ અને શનિ શાંત થાય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.