અમદાવાદઃ પાસ થવા આન્સરશીટમાં 500ની નોટો ચોંટાડી, દાવ ઊંધો થયો, વર્ષ સુધી...

પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ શું શું નથી કરતા, કોઈ વિદ્યાર્થી ખુબ મહેનત કરે છે, કોઈ ઓછી મહેનત કરે છે, પણ કેટલાક આળસુ વિદ્યાર્થીઓ એવા હોય છે કે, આખું વર્ષ ભણતા તો હોતા જ નથી પણ પરીક્ષામાં પણ મહેનત કરવી નથી, ને એમ જ પાસ થઇ જવું છે તેના માટે અવનવા પ્રયાસો અજમાવતા હોય છે, એવો જ એક કિસ્સો અમદાવાદથી આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકીને પોતાને પાસ કરી દેવાની વિનંતી કરી હતી, આવો જાણીએ વિગતવાર...  

એક ચોંકાવનારી ખબર અમદાવાદથી આવી છે, જ્યાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓએ તેમને પરીક્ષામાં પાસ કરી દેવા માટે આન્સરશીટમાં રૂ. 500ની નોટ ચોંટાડી દીધી હતી. કોપી ચેક કરનાર શિક્ષકને લલચાવવા માટે વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું. પરંતુ લાંચ આપવાના આ પ્રયાસની વિપરીત અસર થઈ. જેના કારણે આ બે વિદ્યાર્થીઓને આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં નાપાસ કરવામાં આવશે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા આ બંને વિદ્યાર્થીઓ તેઓ પરીક્ષામાં પાસ થશે તેવી કોઈ આશા નહોતી. 

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 29 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી. જવાબ પત્રકોના મૂલ્યાંકન દરમિયાન, શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની ઉત્તર પત્રકોમાં આ નોટ ને ચીપકાવવામાં આવી હોવાની જાણ કરી. બોર્ડે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું, 'અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કારણ કે, તે છેતરપિંડીનો કેસ નથી. પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની દલીલો સાંભળશે અને પછી તેમને શું સજા આપવી તે નક્કી કરશે.' 

બોર્ડના અધિકારીએ આ બંને વિદ્યાર્થીઓના આવા કૃત્ય સામે નિરાશા વ્યક્ત કરી છે. બંને વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ.500ની નોટ ચોંટાડી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ લખ્યું કે, 'કૃપા કરીને મને પાસ કરી દેજો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો ન હતો.' અધિકારીએ કહ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીઓમાં નોટ્સ પેસ્ટ કરે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરવું તદ્દન નિરાશાજનક છે. અધિકારીએ કહ્યું કે, આવો જ એક મામલો 2022માં સામે આવ્યો હતો. જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહીમાં રૂ. 500ની નોટો ચોંટાડી હતી. ત્યાર પછી તેને નાપાસ કરવાની સાથે એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.