રાજકોટમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ ઍટેક આવતા મોત

રાજકોટમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થિનીને શાળામાં જ હાર્ટ એટેક આવી જતા તેનું મોત થઇ ગયું. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોતાની દીકરીના મોત માટે સ્કૂલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર તરફથી શાળા પ્રશાસન પાસે ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. રાજકોટના જસાણી શાળામાં ધોરણ 8માં ભણતી રીયા સોની અચાનક જ અભ્યાસ કરતા-કરતા બેન્ચ પરથી પડી ગઇ. વિદ્યાર્થિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

પરિવારજનોનો આરોપ છે કે ઠંડીના કારણે વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો છે. તેમની દીકરીને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રીયા સોની સવારે 7 વાગ્યે શાળાએ પહોંચી હતી. ત્યારબાદ 7:30 વાગ્યે પ્રાર્થના કરીને 8 વાગ્યે ક્લાસમાં પહોંચી હતી. એ દરમિયાન ઠંડી લાગી રહી હતી અને અચાનક જ બેહોશ થઇ ગઇ. વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

તેમણે મીટિંગમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને ઠંડીના કારણે જેવો પણ સ્વેટર કે જેકેટ પહેરવા માગે છે તે પહેરી શકે છે. શાળા યુનિફોર્મનો જ જેકેટ કે સ્વેટર પહેરવો જરૂરી નથી. તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે કે શિક્ષણ વિભાગ ઠંડીના કારણે શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બદલીને 8 વાગ્યાનો કરી દે. આ અંગે ડૉક્ટરનું કહેવું છે કે ઠંડીના કારણે બ્લડ જામી જાય છે. એવામાં વિદ્યાર્થીએ જે સ્વેટર પહેર્યું હતું, તેનાથી બોડી ગરમ રહેવાની સંભાવના ઓછી હતી. એવામાં બ્લડ જામવાથી બ્લડનું ફ્લો ઓછું થઇ ગયું હશે.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લખેલા પત્રમાં અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિર સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, મંગળવારે સવારે 8માં ધોરણની વિદ્યાર્થિની રીયા સોનીએ સવારે 7:23 વાગ્યે બેચેનીની ફરિયાદ કરી. તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા, જે તેને હૉસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

શિક્ષકોએ મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રિન્સિપાલ સ્મિતાબેન મુજબ જ્યારે રીયા પડી ગઇ તો તેના સહપાઠીઓ અને શિક્ષકોએ તેને હોશમાં લાવવા માટે હાથ-પગની માલિશ કરી. તો રિયાના માતા-પિતાનું કહેવું છે કે તેની દીકરી પૂરી રીતે સ્વસ્થ હતી. તે કોઇ બીમારીથી પીડિત નહોતી મેનેજમેન્ટે કહ્યું કે, નિર્ધારિત સ્વેટર બાળકોને શિતલહેરમાં બચાવવ પૂરતા નહોતા. હાલમાં એમ કહેવું વહેલું ગણાશે કે રિયાનું મોત શિતલહેરના કારણે થયું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.