ગુજરાતમાં ટ્યૂશન લેનારા વિદ્યાર્થી ઘટ્યા કે વધ્યા? જાણો થયેલા સર્વેનું તારણ

વાર્ષિક સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) બુધવારે (18 જુલાઈ, 2023) ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. દેશભરના 616 જિલ્લાઓની સરકારી શાળાઓમાં કરાયેલા આ સર્વેમાં બહાર આવ્યું છે કે, હાજરીની બાબતમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સૌથી પાછળ છે. જો કે, દેશભરની શાળાઓમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે અને માત્ર 2 ટકા બાળકો નોંધાયેલા નથી. સર્વેની અંદર બીજા બધા રાજ્યોમાં ટ્યુશન ક્લાસ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ત્રિપુરામાં કોઈ ફેરફાર થયો નથી. આ સર્વે 'પ્રથમ' ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વે ચાર વર્ષ પછી આટલા મોટા પાયા પર કરવામાં આવ્યો છે. અગાઉ તે વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ સર્વે સાથે જોડાયેલી 10 મહત્વની વાતો...

સર્વેક્ષણ દર્શાવે છે કે શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષક બંનેની હાજરી સ્થિર રહી છે. બાળકોની હાજરીનો આંકડો 72%ની નજીક છે, જ્યારે શિક્ષકોના કિસ્સામાં, આ આંકડો 85%થી થોડો વધારે છે.

સૌથી ઓછી હાજરીવાળા રાજ્યોમાં UP, MP, બિહાર, ત્રિપુરા છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં સૌથી વધુ હાજરી નોંધાઈ છે.

રિપોર્ટ અનુસાર, 6 થી 14 વર્ષની વયના બાળકોની નોંધણીમાં સુધારો થયો છે, જે 2018માં 97.2 ટકાથી વધીને 2022માં 98.4 ટકા થયો છે. રિપોર્ટ અનુસાર, 2018 થી 2022 દરમિયાન સરકારી શાળાઓમાં નોંધણીમાં 7.3 ટકાનો વધારો નોંધાયો છે.

રિપોર્ટમાં ટ્યુશન લેનારા વિદ્યાર્થીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. 2018 અને 2022ની વચ્ચે, તમામ રાજ્યોમાં ટ્યુશન ક્લાસ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ત્રિપુરામાં કોઈ ફેરફાર નોંધાયો નથી.

ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો માત્ર 2 ટકા બાળકો જ શાળામાં નોંધાયેલા નથી. લાંબા સમય સુધી શાળા બંધ રહેવા છતાં 2018 અને 2022ની વચ્ચે શાળા બહારના બાળકોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

ASER 2022 રિપોર્ટમાં 616 જિલ્લાઓની 19,060 શાળાઓના લગભગ 7 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો.

ASER સેન્ટરના ડાયરેક્ટર વિલિમા વાધવાએ કહ્યું, 'કોરોના રોગચાળા દરમિયાન, શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી, જેના કારણે ઘણા બાળકોએ અભ્યાસ છોડી દીધો. રોગચાળાની અસરનું મૂલ્યાંકન કરવા માટે કોઈ ડેટા નથી. ASER 2022 સર્વે રોગચાળાની અસરને સમજવા માટે ઉપયોગી થશે.'

ASERના ગયા વર્ષના અહેવાલ દર્શાવે છે કે 2018 થી 2021 સુધીમાં નોંધાયેલા વિદ્યાર્થીઓના ઘરોમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા લગભગ બમણી થઈ ગઈ છે. તે 36.5 ટકાથી વધીને 67.6 ટકા થઇ ગઈ છે. આશા છે કે ઑફલાઇન વર્ગો ફરી શરૂ થયા બાદ આ સંખ્યા ઘટી શકે છે.

આ ચાર વર્ષમાં બાળકોની રમત પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. 2022માં, 68.9% શાળાઓમાં રમતના મેદાનો છે, જે 2018 માં 66.5%થી થોડું વધુ હતું.

ગ્રેડ V અને ગ્રેડ VIII ના વિદ્યાર્થીઓ પર હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભણવાના મામલે છોકરીઓ વધુ સારી છે, જ્યારે છોકરાઓ ગણિતમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.