4 ખેડૂત ભાઈઓએ શાળા માટે દાન કરી દીધી 30 લાખ રૂપિયાની કિંમતવાળી જમીન

તમે દાનવીર કર્ણનું નામ સાંભળ્યું હશે. પરંતુ કળયુગમાં ભાગલપુરના ચાર ખેડૂત ભાઈઓ પણ કર્ણથી ઓછા નથી. માત્ર નાનકડી જગ્યા છોડીને 30 લાખની કિંમતવાળી જમીન શાળાના નિર્માણ માટે દાન આપી દીધી. હવે ગ્રામજનો ત્યાં શાળા નિર્માણ કાર્ય કરી રહ્યા છે. એવામાં શિક્ષણનો અલખ જગાડવા માટે આ ભાઇઓના ચારેય તરફ વખાણ થઈ રહ્યા છે. તેઓ નવગછિયાના રંગરા પેટાવિભાગના રહેવાસી છે. ચારેય ખેડૂત છે. બધાએ જમીન શાળા માટે દાન આપી દીધી જેથી શાળાનું નિર્માણ થઈ શકે. હવે ગ્રામજનો ફંડ ભેગું કરીને શાળાનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.

ભાગલપુરના નવગાછિયા પેટાવિભાગ અંતર્ગત બેસી ગામમાં એક પ્રાથમિક શકાય છે જે નદીની બીજી તરફ છે. આ શાળામાં જવામાં બાળકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત બાળકો નદીમાં ડૂબી ચૂક્યા છે. તેને લઈને પરિવારજનો પણ બાળકોને શાળામાં મોકલતા ખચકાય છે. તેને જોતા વર્ષ 2013માં જ બૈસિના રણજીત રાય, જગદેવ રાય, બાલદેવ રાય અને વિવેકાનંદ રાયે પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. ત્યારબાદ હવે ગ્રામજનો સરકારી ચક્કર લગાવતા રહ્યા, પરંતુ શાળાનું નિર્માણ ન થઈ શક્યું. અંતે હવે ગ્રામજનો ફંડ એકત્ર કરીને શાળાનું નિર્માણ કરાવવાની પહેલ કરી રહ્યા છે.

હાલમાં વાંસ અને ટિનનો શેડ નાખવામાં આવ્યો છે. ઈંટો પણ ખરીદી દેવામાં આવી છે. જમીન દાન કરનારા બાલદેવ રાયે જણાવ્યું કે, તેમણે જમીન દાન કરી છે, જેની કિંમત અત્યારે 30 લાખ છે. અમારા રહેવા માટે માત્ર થોડી જમીન છે. બાળકો ગામમાં આમ તેમ ફરે છે. ત્યારબાદ અમે ચાર ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી. જેથી અહીના બાળકો ભણી શકે. બાજુમાં નદી છે. બાળકોને પરેશાન જોઈને જમીન દાનમાં આપી દીધી. અમે લોકો ફંડ ભેગું કરીને શાળાનું નિર્માણ કરવી રહ્યા છીએ.

તો વિદ્યાર્થી ભાવેશે જણાવ્યું કે, જહાંગીર બૈસી શાળામાં છે. ગામથી જવામાં મુશ્કેલી થાય છે. બાજુમાં નદી છે જેના કારણે અમને પરેશાની થાય છે. વરસાદના સમયમાં શાળાએ પહોંચી શક્યતા નથી. ગામના ઘણા બાળકો ડૂબવાથી મોત થયા છે. અત્યારે શાળાનું નિર્માણ ફંડથી થઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય કુમારે કહ્યું કે, કેટલીક જગ્યાઓ પર લોકો પોતાની જમીન પર શાળાનું નિર્માણ કરાવે છે. નવગાછિયાની શાળા માટે અમે લોકો વિભાગ સ્તરથી પણ રાશિ ઉપલબ્ધ કરાવીશું. શાળાનું નિર્માણ પણ કારવીશું. જનપ્રતિનિધિઓને પણ આગ્રહ કર્યો છે. પોતાના ક્ષેત્રમાં કેટલીક શાળાઓને દત્તક લે કેમ કે તેમની પાસે સંસાધન રહે છે. સારો અભ્યાસ થઈ શકે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.