IIT ડિરેક્ટર કહે- માંસ ખાવા અને જાનવરોને મારવાથી લેન્ડસ્લાઇડ-વાદળ ફાટ્યા, Video

IIT મંડીના ડિરેક્ટર લક્ષ્મીધર બેહરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે માંસ ખાવા માટે જાનવરોને મારવાથી હિમાચલમાં લેન્ડસ્લાઇડ અને વાદળ ફાટ્યા. નિર્દોષ જાનવરોને કાપવાનું પર્યાવરણના ક્ષરણ સાથે સહજીવી સંબંધ છે.

તેમણે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, લોકો એ નથી જોઇ રહ્યા છે માંસ માટે જાનવરોને મારવાથી પર્યાવરણ પર તેની શું અસર પડી રહી છે. પણ લોકો તેને ટૂંક સમયમાં જોશે. લેન્ડસ્લાઇડ, વાદળ ફાટવા...જે તમે વારે વારે જોઇ રહ્યા છો, આ બધું પશુ ક્રૂરતાનો પ્રભાવ છે. વીડિયો પહેલા યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો. ત્યાર પછી ટ્વીટર પર એક યૂઝર દ્વારા તેને શેર કરવામાં આવ્યો. જોત જોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

વીડિયોમાં પહેલા ડિરેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, સારા વ્યક્તિ બનવા માટે તેમણે શું કરવાનું રહેશે? સારા વ્યક્તિ બનવા માટે તમારે માંસ ખાવાનું નથી. હા કે ના? પોતાના સંબોધનને આગળ વધારતા તેમણે વિદ્યાર્થીઓને 'નો મીટ ઈટિંગ' નારો લગાવવા કહ્યું.

જાણ હોય તો જુલાઇ અને ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને લેન્ડસ્લાઇડની ઘણી ઘટનાઓ સામે આવી હતી. જેને લઇ બંને રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગંભીર નુકસાન થયું છે. આ ઘટનાઓમાં લગભગ 250 લોકોના મોત થયા છે.

આ વીડિયો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેને લઇ વિરોધ કર્યો. જયરામ રમેશે ટ્વીટ કરી કે, તે ડિરેક્ટર પદ પર રહેવાને લાયક નથી. તે આ પદ પર જેટલો વધારે સમય રહેશે એટલું જ વધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડશે.

આ નિવેદનને લઇ જયરામ રમેશે પ્રધાનમંત્રી મોદીના એક નિવેદનનો પણ હવાલો આપ્યો છે. પોસ્ટ કરી જયરામ રમેશે લખ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણા પૂર્વજોને પ્લાસ્ટિક સર્જરી વિશે જાણકારી નહોતી. તેમણે બાળકોને એવું પણ કહ્યું કે જળવાયુ પરિવર્તન થયું નથી. એક વરિષ્ઠ મંત્રી ન્યૂટન અને આઈંસ્ટાઇન વચ્ચેનો ફરક નથી કરી શકતા. તો બીજી બાજુ અન્ય નેતા ડાર્વિનને અભ્યાસક્રમમાંથી હટાવવાને યોગ્ય ગણાવે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.